- ઉનાના વાસોજ ગામે સિંહોના આંટા ફેરા
- રાત્રીના સમયે સિંહો ગામમાં ઘુસી જતા લોકોના જીવ તાળવે ચોટયા
- લોકોએ હાકલા, પડકારા કરી સિંહોને ગામ બહાર ખદેડયા
- વાંસોજમાં રાતના 11 ક્લાકે ગામમાં સિંહ આવ્યા હતા
ગીર સોમનાથ : ઉનાના વાંસોજ નજીક આવેલા અહેમદપુર માંડવી જંગલ વિસ્તાર તેમજ બાજુમાં દરિયાને જોડતી ખાડી કહેવાતા વિસ્તારમાં અવાર-નવાર જંગલી જાનવરો જોવા મળે છે. જેથી અહેમદપુર માંડવી રોડ તરફથી એક સાથે ચાર સિંહો ગામની અંદર ઘુસી જતા લોકોમાં ભય પણ ફેલાયો હતો.
આ પણ વાંચોઃગીરમાં જંગલ સફારી શરૂ થતા સિંહો વ્યાકુળ બન્યા હોવાનો વન્ય જીવ પ્રેમીઓનો દાવો