ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV Special: ગીરસોમનાથનું પીખોર ગામ વર્ષોથી જૂએ છે નર્મદાના નીરની રાહ

ગીરસોમનાથ જિલ્લાના પીખોર ગામના લોકો હાલ ત્રણ સમસ્યા એકસાથે ભોગવી રહ્યાં છે. એક તરફથી મહામારી કોરોનાનો ભય,બીજી તરફથી કાળઝાળ ગરમી વરસાવતો આકરો ઊનાળો, અને ત્રીજી તરફ ગામમાં ઉઠતાં પાણીના પોકાર.

By

Published : Jun 5, 2020, 5:38 PM IST

ETV Special: ગીરસોમનાથનું પીખોર ગામ વર્ષોથી જૂએ છે નર્મદાના નીરની રાહ
ETV Special: ગીરસોમનાથનું પીખોર ગામ વર્ષોથી જૂએ છે નર્મદાના નીરની રાહ

ગીરસોમનાથઃ પીખોર ગામમાં આજકાલની નહીં, ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે. છેલ્લા પાંચેક વર્ષથી ઉનાળામાં નદી તળાવો સૂકાયાં બાદ ગામમાં રહેલ એકમાત્ર કૂવાના તળ નીચા જાય છે ત્યારે ગામના એકમાત્ર હેન્ડ પમ્પમાંથી આખું ગામ પાણી ભરવા મજબૂર બને છે. ગા લોકોએ પાંચ વર્ષથી નર્મદાના પાણીની માગ કરી છે જેના પર કોઈએ ધ્યાન આપ્યું નથી. કોરોનાના માહોલમાં લોકો અહીં પોતાના પીવાના પાણીના વારા માટે કતારો લગાવે છે. પાટી અને પેન પકડવાવાળા નાના બાળકોના કોમળ હાથ શાળાએ જવાની ઉંમરમાં માતાને મદદ કરવા પરસેવે તરબતર થઈ હેન્ડ પમ્પ ચાલવી રહ્યાં છે.હાલ એકતરફ ઉનાળાનો બળબળતો તાપ છે અને બીજીબાજુ કોરોનાનો ભય ફેલાયેલો છે ત્યારે ગીરસોમનાથનું પીખોર ગામ પાણી પાણીના પોકાર કરી રહ્યું છે.

ETV Special: ગીરસોમનાથનું પીખોર ગામ વર્ષોથી જૂએ છે નર્મદાના નીરની રાહ
4 હજારની વસ્તી ધરાવતાં ગામમાં કૂવામાં પાણી ખૂટતાં બોરમાંથી કૂવામાં પાણી ઠલવાય છે. કૂવાને રિચાર્જ કરાયા બાદ કૂવામાંથી લોકોને એકાંતરે શક્ય એટલું પાણી અપાય છે. હેન્ડપંપનું પાણી લેવા માતાઓબહેનોએ અનેક સમસ્યાઓ વચ્ચે પાણી માટે કતારો લગાવવી પડે છે. ત્યારે સ્થાનિકો ક્યારે નર્મદાના નીર આ ગામમાં આવે તેની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે.ETV Bharat સમક્ષ આ સમસ્યા વ્યક્ત કરતાં પીખોરના અગ્રણી અજિત ચૂડાસમાએ જણાવ્યું હતું કે અમે સરકારમાં નર્મદાના નીર આવે તેવી માગ કરી રહ્યાં છીએ. પાણી ખૂબ જરૂરી છે અને એ અમારી મુખ્ય ચિંતા છે " ત્યારે સંબંધિત અધિકારીઓ સાથે ETV Bharat એ સંપર્ક સાધતાં તેઓએ વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details