આ તમામ માછીમારોની મધદરિયે શોધખોળ હાથ ધરાય છે, પરંતુ હજુ સુધી તેમનો પતો લાગ્યો નથી. ત્યારે માછીમારના પરિવારને જાણ થતા કોડીનારથી 6 KM દૂર દામલી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કારણ કે અહીંના એક બે નહીં, પરંતુ ત્રણ યુવાનો સમુદ્રમાં લાપતા બન્યા છે.
દેવભૂમિ દ્વારકા નજીક દરિયામાં ડૂબેલી બોટમાં ગીર સોમનાથના ખલાસીઓ લાપતા - Devbhumi dwarka sea
ગીર સોમનાથ: દેવભૂમિ દ્વારકા દરિયામાં 7 જેટલા ગીર સોમનાથના માછીમારો લાપતા થયા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માછીમારોના ગામમાં શોકનું મોજું છવાયું છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના દામલી ગામના, દેવભૂમી દ્વારકાના સમુદ્રમાં આખે-આખી બોટે જળ સમાધિ લીધી છે. જેમાં ગીર સોમનાથ અલગ અલગ ગામના 7 જેટલા માછીમારો લાપતા થયા છે.
સમુદ્રની વચ્ચે મોઇન નામની બોટ 7 જેટલા માછીમારો દરિયો ખેડવા ગયા હતા, પરંતુ આ બોટ મધ દરિયે જતા પાણીમાં ગરકાવ થઈ અને તેમાં રહેલા 7 જેટલા માછીમારો સમુદ્રમાં ગરકાવ થયા છે. આ માછીમારોમાં કોડીનારના વેલણ ગામના સોલંકો ભૌતિક ગોવિદ અને વંશ જેશા રૂડા તેમજ દામલી ગામના અરવિંદ ભગવાન ચુડાસમા, સોલંકી કચરા વશરામ અને સોલંકી દિનેશ બાબુ તેંમજ એક ઉનાના દેલવાડા ગામના મકવાણા જેન્તી પાચા નામનો માછીમાર મળી કુલ 7 માછીમાર લાપતા બન્યા છે. જેથી લાપતા બનેલા માછીમારના પરિજનો મા ભારે ગમગીની છવાય છે.
માછીમારો લાપતા બનતા દામલી ગામ શુમસામ બન્યું છે, તો બીજી તરફ ગામના સરપંચનો આરોપ છે કે, બોટને મોટું જહાજ ટક્કર મારી હતી. ભવિષ્યમાં નિર્દોષ માછીમારો ભોગ ન બને તે માટે મોટા જહાજો સામે કાર્યવાહીની માગ કરવામાં છે. એટલું જ નહીં જહાજોના આવવા જવાના રસ્તાઓ પણ નક્કી કરવામાં આવે. જો કે, 2 દિવસથી વધુની શોધખોળ બાદ સોમવારે દેવભૂમિ દ્વારકા અને ઓખા કોસ્ટગાર્ડે મોઇન નામની બોટને મધદરિયે શોધવામાં સફળતા મળી હતી, પરંતુ લાપતા થયેલા માછીમારોનો હજુ સુધી કોઈ ભાળ નથી.