ગુજરાત

gujarat

By

Published : Feb 2, 2021, 12:33 PM IST

ETV Bharat / state

તાલાલા તાલુકાના ચાર સરપંચોએ સરકારી ગ્રાન્ટનો દુરપયોગ કર્યો, ભ્રષ્ટાચાર બદલ DDO દ્વારા કરાઈ કાર્યવાહી

તાલાલમાં ઘાવા ગીર, ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બકુલા) ગામ પંચાયતના સરપંચોએ નીતિ નિયમોનો ભંગ કરી સરકારી ગ્રાન્‍ટનો મનસ્વી રીતે ઉપયોગ કરવા બદલ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઘાવા ગીરના મહિલા સરપંચને આ મામલે છુટા પદ પરથી દર કરવામાં આવ્યાં છે જ્યારે અન્ય ત્રણને વ્યાજ સહિત રકમ વસુલવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

vadodara
vadodara

  • તાલાલામાં સરકારની ગ્રાન્ટનો મનસ્વી રીતેે ઉફયોગ કરવા બદલ 4 સરપંચો સામે કાર્યવાહી
  • ઘાવા ગીરના સરપંચને સસ્‍પેન્‍ડ કરાયા
  • અન્ય સરપંચો પાસેથી વ્યાજ સહિત રકમ વસુલવાનો હુકમ


તાલાલાઃ ગીર સોમનાથ જીલ્‍લાના તાલાલા પંથકની ઘાવા ગીર, ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બકુલા) ગામ પંચાયતના સરપંચોએ નીતિ નિયમોનો ભંગ કરી સરકારી ગ્રાન્‍ટનો દુરપયોગ કર્યો છે. સરપંચોના આ ભ્રષ્ટાચાર બદલ જીલ્‍લા વિકાસ અધિકારી ઘર્મેન્‍દ્રસિંહે ઘાવા ગીરના મહિલા સરપંચને પદ ઉપરથી દુર કર્યા છે. જ્યારે અન્ય ત્રણ ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બાકુલા)ના સરપંચો પાસેથી વાપરેલી સરકારી ગ્રાંટની 20 ટકા રકમ વ્‍યાજ અને પેનલ્‍ટી સાથે વસુલાત કરવા હુકમ કર્યો છે.

ઘાવા ગીરના સરપંચને સસ્‍પેન્‍ડ કરાયા

ઘાવા ગીરના મહિલા સરપંચને સરકારી ગ્રાન્ટનો મનફાવે તેમ ઉપયોગ કર્યો હતો. જેને કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તાલાલા તાલુકા પંચાયતમાંથી પ્રાપ્‍ત વિગત મુજબ ઘાવા ગીર ગ્રામ પંચાયતને વર્ષ 2018-19 ના નાણાંકીય વર્ષ દરમિયાન ફાળવવામાં આવેલી વિવિધ સરકારી ગ્રાન્‍ટના નાણાનો ઉપયોગ નિયમોનુસાર કરવાના બદલે નિયમોનો ભંગ કરી મનસ્‍વી રીતે વહીવટ કરવા બદલ ઘાવા ગીર ગ્રામ પંચાયતના સરપંચ લાભુબેન કમલેશભાઇ શિયાળને તાત્‍કાલિક અસરથી સરપંચના હોદા પરથી દુર કરવાનો હુકમ જીલ્‍લા વિકસા અધિકારીએ કર્યો છે. જ્યારે ઉમરેઠી, મંડોરણા અને ઘણેજ (બાકુલા)ના સરપંચો પાસેથી સરકારી ગ્રાંન્‍ટની વ્‍યાજ અને પેન્‍લટી સાથે રકમ વસુલાત માગી છે.

ઘાવા ગીરના સરપંચને સસ્‍પેન્‍ડ કરાયા
અન્ય સરપંચો પાસેથી વ્યાજ સહિત રકમ વસુલવાનો હુકમ

આ ઉપરાંત ઉમરેઠી ગીર, મંડોરણા ગીર અને ઘણેજ (બાકુલા) ગ્રામ પંચાયતને ગામના પ્રજા ઉપયોગી વિકાસની કામગીરી માટે સરકારે ફાળવેલી વિવિધ યોજનાની ગ્રાન્‍ટના નાણાંનો ઉપયોગ નિયમોની ઐસી તૈસી કરી ફરજ પ્રત્‍યે ઉદાસીનતા રાખવા બદલ સરકારી ગ્રાન્‍ટની 20 ટકા રકમ વ્‍યાજ અને પેનલ્‍ટી સાથે વસુલાત કરવા હુકમ કર્યો છે. જેમાં મંડોરણા ગીરના સરપંચ જયોત્‍સનાબેન રતિલાલ કિકાણી પાસેથી રૂપિયા 4,04,020 ઉપરાંત વ્‍યાજ તથા ઉમરેઠી ગીરના સરપંચ ભાનુબેન કાનાભાઇ ઘામણચોટીયા પાસેથી રૂપિયા 5,54,280 વ્‍યાજ સાથે જયારે ઘણેજ (બાકુલા)ના સરપંચ દેવાયતભાઇ બાલુભાઇ કરગઠીયા પાસેથી રૂપિયા 50,230 વ્‍યાજ સાથે વસુલાત કરવા આદેશ કર્યો છે. જે ગામના સરપંચોએ સરકારી ગ્રાન્‍ટના નાણાં જે દિવસે ઉપાડયા હોય તે તારીખથી વસુલાતની રકમ ભરપાઇ થાય નહીં ત્‍યાં સુધીનું થતું વ્‍યાજ તથા પેનલ્‍ટીની રકમ તા.31 માર્ચ 2021 સુધીમાં જમા કરાવા ગીર સોમનાથ જીલ્‍લા વિકાસ અઘિકારીએ તેમના હુકમમાં આખરી મુદત આપી છે.

ઉમરેઠી પંચાયત
બકુલા ધણેજના સરપંચ દેવાયત કરગઠિયા તાલુકા ભાજપના મહામંત્રી પદે પણ સક્રિયઘણેજ (બકુલા)ના સરપંચ તાલુકા ભાજપના મહામંત્રી હોવાથી રાજકારણ ગરમાયુ છે. અત્રે નોંધનીય છે કે તાલાલા તાલુકાના ચાર સરપંચો સામે કડક કાર્યવાહી પૈકી ઘણેજ (બાકુલા)ના સરપંચ દેવાયતભાઇ કરગઠીયા તાલાલા તાલુકા ભાજપના મહામંત્રી અને મુખ્‍ય અગ્રણી છે. હાલ પંથકમાં તાલુકા અને જીલ્‍લા પંચાયતની ચુંટણી પ્રક્રીયાનો ધમધમાટ ચાલુ છે. એવા સમયે ભાજપના અગ્રણી પાસેથી સરકારી નાંણાનો ગેરવહીવટ કરવા બદલ વસુલાત કરવા જીલ્‍લા પંચાયત તંત્રએ હુકમ કર્યો છે.
બકુલા ધણેજના સરપંચ દેવાયત કરગઠિયા તાલુકા ભાજપના મહામંત્રી પદે પણ સક્રિય

ABOUT THE AUTHOR

...view details