ગુજરાત

gujarat

ગીર સોમનાથમાં કોરોનાને મ્હાત આપવા ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ

By

Published : May 6, 2021, 12:33 PM IST

ગીર સોમનાથમાં કોરોના મહામારીને માત આપવા ગામડા લેવલે ઝૂંબેશ શરૂ થઇ ચૂકી છે. તાલાલા તાલુકાના 44 પૈકી 38 ગામોમાં કોવિડ સેન્ટર શરૂ થઇ ગયા છે. ગુંદરણ ગામે 'આપણો તાલુકો, કોરોના મુક્ત તાલુકો' અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં 7 બેડ સાથે ઓક્સિમીટર, થર્મલ ગન, નાશ મશીન સહિતની વ્યવસ્થા કરાઇ છે.

ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ
ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ

  • માધુપુર-જાંબુર ગામે લેઉવા પટેલ સમાજ ખાતે 20 બેડ તૈયાર કરાયા
  • તાલાલાના 44 પૈકી 38 ગામોમાં કોવિડ સેન્ટર શરૂ
  • ગુંદરણ ગામે 'આપણો તાલુકો, કોરોના મુક્ત તાલુકો' અભિયાન શરૂ

ગીર સોમનાથ :કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેશનની સુવિધા ન મળે તો તેના પરિવારજનો પણ સંક્રમિત થઇ શકે છે. આથી સંક્રમણની ચેઇન તોડવા ગામડે-ગામડે લાઇટ, વિજળી, પીવાના પાણી, બાથરૂમ, ચા-નાસ્તા સહિતની સુવિધા સાથે કુલ 286 બેડ તૈયાર કરાયા છે. જેમાં ઘુસિયા ગામે બક્ષીપંચ કન્યા છાત્રાલયમાં 3 રૂમ અને એક હોલમાં કુલ 16 બેડ તૈયાર કરાયા છે. ગુંદરણ ગામે 'આપણો તાલુકો, કોરોના મુક્ત તાલુકો' અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળામાં 7 બેડ સાથે ઓક્સિમીટર, થર્મલ ગન, નાશ મશીન સહિતની વ્યવસ્થા કરાઇ છે. માધુપુર-જાંબુર ગામે લેઉવા પટેલ સમાજ ખાતે 20 બેડ તૈયાર કરાયા છે. આંબળાશ ગામે પ્રાથમિક શાળામાં બેડ તૈયાર કરાયા છે.
આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનના 100 બેડની સુવિધા સાથેની કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરાઈ

તાલાલા તાલુકાના ગામડા માટે વિનામૂલ્યે ઓક્સિજનના સિલીન્ડર આપવાનું શરૂ
રમળેચી ગામના અગ્રણી છગન કણસાગરા અને મણિ ડેડાણિયાએ ગામની સહકારી મંડળીથી તાલાલા તાલુકાના ગામડા માટે વિનામૂલ્યે ઓક્સિજનના સિલીન્ડર આપવાનું શરૂ કરાવ્યું છે. આ માટે અંકલેશ્વરની મોટી સ્ટીલ કંપનીના સહયોગથી જરૂરિયાતમંદોને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : CM રૂપાણીના હસ્તે સુરતમાં કોવિડ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું

મેડીકલ ઓફિસર ડૉ. રિષી કોડિયાતરને ક્લાસવન અધિકારી તરીકે નિમણૂંક અપાઇતાલાલા સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ઉમદા ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડૉ. રિષી કોડિયાતરને ક્લાસવન અધિકારી તરીકે નિમણૂંક અપાઇ છે. તેઓની હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે નિમણૂંક થતાં તાલાલા સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને સ્ટાફમાં પણ ઉત્સાહનો સંચાર થયો છે. તેમની નિમણૂંકને તાલુકાના તમામ સમાજના લોકોએ આવકારી છે.

ABOUT THE AUTHOR

...view details