ગીરસોમનાથમાં શ્રવણ માસ સંદર્ભે ચાલતા લોક ડાયરાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી - ગીર-સોમનાથ ન્યૂઝ
ગીર-સોમનાથ : ગુજરાતના મુખ્યપ્રધાને વિસાવદરમાં ખેડૂત સંમેલનમાં હાજરી આપી હતી ત્યારબાદ તેઓ સોમનાથ ટ્રસ્ટના પથિક આશ્રમ ખાતે શ્રવણ માસ સંદર્ભે આયોજિત શિવ વંદનામાં તેમજ લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીરના લોક ડાયરામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.
![ગીરસોમનાથમાં શ્રવણ માસ સંદર્ભે ચાલતા લોક ડાયરાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4173536-395-4173536-1566159445050.jpg)
ગીર-સોમનાથ
મુખ્યપ્રધાન વિજય રૂપાણી સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટના પથિક આશ્રમ ખાતે આયોજિત શિવ વંદનામાં તેમજ લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહીરના લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથની ભવ્ય વિરાસત અને સોમનાથ ના જય ઘોષમાં રહેલી સંસ્કૃતિક વિરાસતની વાત કરી ડાયરામાં ઉપસ્થિત ભાવિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય નાટય અકાદમીના સહયોગથી યોજવામાં આવ્યો હતો.