- કઢંગી હાલતમાં મળ્યો મૃતદેહ
- મૃતદેહ અંગે પોલીસની તપાસમાં વાગડ ગામનો વૃદ્ધ હોવાનું સામે આવ્યું
- પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહને તેના પરિવારજનોને સોંપાયો
અમદાવાદ : ધંધુકા તાલુકાના વાગડ ગામે ભાદર નદીના કાંઠે આવેલી બાવળની જાડીની આ આડાસમાંથી કોહવાઈ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં ધંધુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવક ગત 5 દિવસથી ઘરમાં કોઇની જણાવ્યા વગર નીકળી ગયો હતો. આ યુવક સમયસર ઘરે પરત ન ફરતા પુત્ર તે તેના સગા સંબંધીઓને તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ ફોનનો કોઇ જવાબ ન મળવાથી પરિવારજનો તેમને શોધવા નિકળ્યા હતા, પરંતુ ક્યાંય મળી આવ્યો ન હતો. અંતે ત્રણ સંતાનોના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહ પાસેથી કપડાની થેલી અને માછલી પકડવાના જાળ મળી આવી