ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડિસ્ચાર્જ - corona case

કોરોના મહામારીની બીજી લહેરમાં ગીર-સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ત્‍યારે જિલ્લામાં શુક્રવારે પ્રથમ વખત રેકોર્ડબ્રેક 85 નવા કેસ નોંધાયા છે. જેમાં વેરાવળમાં 10, સુત્રાપાડામાં 7, કોડીનારમાં 6, ઉનામાં 36, ગીરગઢડામાં 6, તાલાલામાં 20 કેસો નોંધાયા છે. શુક્રવારે જિલ્‍લામાં એક પણ મૃત્‍યુ નોંધાયું નથી. શુક્રવારે સારવારમાં રહેલા 19 દર્દીઓ કોરોનાને માત આપી સ્‍વસ્‍થ થયા છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ
ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ

By

Published : Apr 23, 2021, 10:44 PM IST

  • શુક્રવારે જિલ્‍લામાં 1,251 લોકોનું રસીકરણ કરાયુ
  • જિલ્‍લામાં લગ્ન સમારંભની ઓનલાઇન નોંધણી કરાવી પડશે
  • વેરાવળ પાલિકા સંચાલિત ગેસ સ્‍મશાન ભઠ્ઠી આગામી 10 દિવસ માટે બંધ રહેશે

ગીર-સોમનાથઃ જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અત્‍યાર સુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં 1 લાખ 40 હજાર 743 લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જ્યારે શુક્રવારે વધુ 1,251 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ

આ પણ વાંચોઃડાંગ કોરોના અપડેટ: 24 કલાકમાં નવા 11 નવા કેસ, 1નું મોત

જિલ્‍લામાં લગ્ન સમારંભની ઓનલાઇન નોંધણી કરાવી પડશે

આ અંગે PI ડી.ડી.પરમારે જણાવ્યું હતું કે, જિલ્‍લામાં કોરોના મહામારીનો કહેર વધી રહયો છે. ત્‍યારે લોકોની સુખાકારી માટે રાજય સરકાર અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ચોકકસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્‍લામાં હાલના સમયમાં લગ્ન પ્રસંગની ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે. રાજય સરકારના સીટીઝન પોર્ટલ https://gujhome.gujarat.gov.in/portal/webHP પર નોંધણી કરાવવાની રહેશે. લગ્ન પ્રસંગમાં 50થી વધારે વ્યકિત એકઠા ન કરીએ તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. આ ગાઇડ લાઇનનુ પાલન નહી કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહીમાંથી પસાર થવુ પડશે. આ ગાઇડલાઇનનુ પાલન કરવુ એ જવાબદારી સમજી યોગ્ય રીતે નિભાવી આપણે ભારતદેશના જવાબદાર નાગરીક બનીએ.

ગીર સોમનાથમાં કોરોનાના નવા 85 કેસ, 19 દર્દી ડીસ્ચાર્જ

આ પણ વાંચોઃગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ, 1122 નવા કેસ સામે આવ્યા

સમારકામ શરૂ કરવાનું હોવાથી આગામી 10 દિવસ સુધી ગેસ સ્‍મશાન ભઠ્ઠી બંધ રહેશે

સોમનાથ સાંનિઘ્‍ય ત્રીવેણ સંગમ પાસે વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા સંચાલિત ગેસ સ્‍મશાનની ભઠ્ઠી કાર્યરત છે. જેમાં ફરજિયાત સમારકામ કરાવવું જરૂરી હોવાથી આગામી 10 દિવસ સુધી ગેસ આધારીત સ્‍મશાન ભઠ્ઠી બંધ રાખવાની ફરજ પડવામાં આવી છે. જેથી અંતિમ ક્રિયા માટે આવતા લોકોએ ભઠ્ઠીનું સમારકામ પુરુ ન થાય ત્‍યાં સુધી પરંપરાગત સ્‍મશાનની ખાટલીઓનો ઉપયોગ કરવા પાલિકાએ અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details