ગુજરાત

gujarat

શિક્ષકોએ બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવી: સીએમ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી છેલ્લા મહિનાથી મનની મોકળાશ કાર્યક્રમમાં સ્થાનિકોની સમસ્યાને વાંચા આપી રહ્યાં છે. આ વખતે તેમણે શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. જેમાં  તેમણે શિક્ષકોની સમસ્યા અંગે ખુલ્લા મને વાત કરી હતી. શિક્ષકોની ફરિયાદ સાંભળવાની સાથે મુખ્યપ્રધાને શિક્ષકોને કેટલાંક સૂચનો કર્યા હતા. સાથે જ શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની ટકોર કરી હતી.

By

Published : Sep 5, 2019, 8:44 PM IST

Published : Sep 5, 2019, 8:44 PM IST

મુખ્યપ્રધાને શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની કડક સૂચના આપી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો સાથે બેસીને શિક્ષકોને અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે ખુલ્લા મને ચર્ચા કરી હતી. જેમાં અનેક શિક્ષકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સૂચનો સાથે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની પણ કડક સૂચના આપી હતી.

મુખ્યપ્રધાને શિક્ષકોને બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત ફોલો કરવાની કડક સૂચના આપી

મનની મોકળાશ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આજે શિક્ષકદિન નિમિત્તે 36 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે તમામ શિક્ષકો સાથે વિજય રૂપાણીએ સાંજે નિવાસસ્થાન ખાતે ખાસ કાર્યક્રમ મનની મોકળાશ યોજીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ચર્ચા દરમિયાન શિક્ષકોએ વિજય રૂપાણીને અનેક સૂચનો આપ્યા હતાં.

રાજ્ય સરકારના કાર્યક્રમમાં કોઈપણ શિક્ષક અથવા તો કોઈ પણ બાળકને લઇ જવામાં બાળકોના શિક્ષણ ખરાબ થાય છે. તેમજ ઇલેક્શન દરમિયાન શિક્ષકોને ડ્યુટી આપવામાંથી પણ બાકાત રાખવામાં આવે અને રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરેલા બાયોમેટ્રિક સિસ્ટમને રાજ્ય સરકાર શિક્ષકોને બાકાત રાખવાની માગ કરી હતી.

શિક્ષણ દિનના નિમિત્તે રાજ્ય સરકારે શિક્ષકોની ફરજીયાત ઓનલાઇન હાજરી પુરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ ફરજિયાત લાગુ કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શિક્ષકોને ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ સિસ્ટમને શિક્ષકો દ્વારા ફરજિયાત રીતે અનુસરવું પડશે.

ABOUT THE AUTHOR

...view details