અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે ગુરૂવારે ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી કોરોના વાઇરસના કારણે સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં કેન્દ્ર સરકારના કાર્યોના ગુણગાન કર્યા હતાં.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા - central government
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે ગુરૂવારે ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી કોરોના વાઇરસના કારણે સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિમાં કેન્દ્ર સરકારના કાર્યોના ગુણગાન કર્યા હતાં.
![ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કમલમ ખાતેથી આત્મનિર્ભર ભારતના ગુણગાન કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7962709-579-7962709-1594309144497.jpg)
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને રૂપિયા 20 લાખ કરોડનું આર્થિક પેકેજ કોરોના વાઇરસને લઈને દેશના તમામ વર્ગ માટે જાહેર કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના પગલાઓથી અને નીતિગત સુધારાઓથી ભારત વિશ્વ સાથે સ્પર્ધા કરવાનું સામર્થ્ય ધરાવતું થયું છે. ભારતમાં આફતને અવસરમાં બનાવવાની કુશળતા છે. આત્મનિર્ભર ભારત વિષય પર વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતને આત્મનિર્ભર બનાવવા 20 લાખ કરોડના પેકેજની જાહેરાત થઇ છે. જેનો ઉપયોગ અર્થતંત્ર, મજૂર વર્ગ, મેન્યુફેક્ચર ક્ષેત્ર, સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ, ખેડૂતો, શ્રમિકો વગેરેને માટે લાભદાયક રહેશે.