ગુજરાત

gujarat

By

Published : Aug 5, 2020, 12:18 PM IST

ETV Bharat / state

આજે રામમંદિર ભૂમિપૂજનઃ રૂપાણી સરકારે કેબિનેટ બેઠકના સમયમાં કર્યો બદલાવ

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લઈ રહ્યાં છે. જેથી રાજ્ય સરકારે કેબિનેટ બેઠકના સમયમાં ફેરફાર કર્યો છે.

etv bharat
etv bharat

  • આજે રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ
  • ભવ્ય કાર્યક્રમને લઇને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકના સમયમાં કર્યો ફેરફાર
  • રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સવારે 10 કલાકની આસપાસ મળશે
  • શિલાયન્સ કાર્યક્રમ જીવંત જોઈ શકાય તે માટે કેબિનેટના સમયમાં ફેરફાર

ગાંધીનગર: અયોધ્યામાં આજે રામ મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ છે. ભવ્ય કાર્યક્રમને લઇને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકના સમયમાં ફેરફાર કર્યો છે. દર બુધવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક સવારે 10 કલાકની આસપાસ મળે છે, ત્યારે આજે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ હોવાથી કેબિનેટ બેઠક બપોરે 2 કલાક કરવામાં આવ્યો છે.

શીલયન્સના કાર્યક્રમને લઈને રૂપાણી સરકારે કેબિનેટ બેઠક સમય બદલ્યો

અયોધ્યામાં ભવ્ય ધામ મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેને લઈને આજે ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં પણ સમય અચાનક બદલીને 2:00 વાગ્યાનો કરી દેવામાં આવ્યો છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે સચિવાલયમાં સવારે અયોધ્યાના રામ મંદિરના ભૂમિ પૂજનનું જીવંત પ્રસારણ જોવાય એટલા માટે રાજ્ય સરકારે કેબિનેટના સમયમાં ફેરફાર કર્યો હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે.

કેબિનેટ બેઠકનો સમય અચાનક સવારના 10 કલાકના બદલે 2 વાગ્યે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના અમુક પ્રધાનો કમલમ ખાતે પણ પહોંચ્યા હતા અને શિલાયન્સ કાર્યક્રમ જીવંત જોઈ શકાય તે માટે કેબિનેટના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.

જ્યારે 2 કલાકે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. જેમાં રામ જન્મભૂમિ શિલાન્યાસ પર આભાર પ્રસ્તાવ રજૂ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલવામાં આવશે. આ આભાર પ્રસ્તાવ કેબિનેટની બેઠકમાં પસાર કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન મોકલી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details