ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર-મધ્ય ગુજરાતમાં 4 લેન રસ્તાને 6 લેન કરવામાં આવશે: નીતિનભાઈ પટેલ - Gandhinagar

ગાંઘીનગર: રાજયમાં માર્ગ વાહન વ્યવહારમાં સુધારો થાય અને લોકોને એક સ્થળથી બીજા સ્થળે સરળતાથી આવાગમન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉત્તર અને મધ્ય ગુજરાતના કુલ 136 કિલોમીટરના માર્ગને ફોર લેનથી 6 લેન કરવાની જાહેરાત કરી છે. જ્યારે ફોર લેન બનાવવાનો તમામ ખર્ચની સહાય વિશ્વ બેન્ક પાસેથી લેવામાં આવશે.

રુપિયા 656 કરોડની મંજૂરી સાથે ઉત્તર-મધ્ય ગુજરાતમાં 4 લેન સાથે બનશે કુલ 136 કિ.મી માર્ગ : નીતિનભાઇ પટેલ

By

Published : Jul 15, 2019, 7:57 PM IST

આ બાબતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં માર્ગોના નેટવર્કની સુવિધાનો વ્યાપ વધારીને નાગરિકોને મળતી વાહન વ્યવહારની સુવિધાઓમાં વધારો કરવો એ અમારી પ્રતિબધ્ધતા છે. ત્યારે ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ ઘટે, નાગરિકોની સલામતીમાં વધારો થાય તે આશયથી ઉત્તર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોના રૂ.656 કરોડના કામો રાજ્ય સરકારે મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. આ કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરાશે.

અહીં ઉલ્લેખનીય છે કે, વિશ્વબેંક લોન સહાય સાથે આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય માર્ગ યોજના -2 હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેની અંદાજીત કિંમત રૂ.1938 કરોડ કિંમત પૈકી રૂ.1050 કરોડની વિશ્વ બેંકની લોન મળશે. આ કામમાં રૂ.222 કરોડનો રાજ્ય સરકારનો હિસ્સો રહેશે.

જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના મહેસાણાથી સિધ્ધપુર રસ્તાને 6 માર્ગીયકરણ કરવાનું કામ રૂા. 230 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. ઊંઝા શહેરમાં 1200 મીટર જેટલી લંબાઈનો 6 માર્ગીય ફ્લાયઓવર બનાવાશે.

તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત સિધ્ધપુરથી પાલનપુર રસ્તાને પણ 6 માર્ગીયકરણ 215 કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં સિધ્ધપુરથી પાલનપુર સુધીની 36 કિ.મી.ની લંબાઈનો સમાવેશ કરાયો છે. આ કામગીરીમાં હયાત 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય જેમાં ડાબી બાજુ બહૂહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બંને તરફ સોલ્ડરનો પણ સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત હયાત 4 માર્ગીય પૂલને 8 માર્ગીય કરવામાં આવશે. જેના પરિણામે સિધ્ધપુર-પાલનપુર રસ્તા ઉપરના ટ્રાફિકની સલામતીમાં વધારો થશે, ઈંધણ અને સમયની બચત થશે તથા આ વિસ્તારનો વિકાસ થશે. આ ઉપરાંત રૂા. 124 કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ પણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની 60 કિ.મી.ની લંબાઇનો સમાવેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details