ગુજરાત

gujarat

ETV Bharat / state

જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ CJI રંજન ગોગોઈ - અયોધ્યા

દેશમાં અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ સોમવારે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે લેક્ચર ઓફ સીરિઝના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં ગોગોઈ દેશના અમુક બાબતો પર ખુલાસો કર્યો હતો. જ્યારે દેશમાં કઈ રીતની પરિસ્થિતિ છે. સમગ્ર વિશ્વમાં દેશ કયા ક્રમાંક ઉપર વિવિધ વિભાગો છે. તે બાબતની પણ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા.

Ranjan gogoi say about sardar patel
જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ ચીફ જસ્ટિસ

By

Published : Feb 10, 2020, 7:39 PM IST

ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં દેશના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંજન ગોગોઈએ પોતાની સ્પીચ આપતા જણાવ્યું હતું કે, નેશનલ લો યુનિવર્સિટીમાં મને આમંત્રણ આપવામાં આવ્યું તે બદલ યુનિવર્સિટીનો આભાર માનું છું, જ્યારે દેશને બનવવાની શરૂઆત ગુજરાતથી જ થઈ હતી. સરદાર પટેલે 500 જેટલા રજવાડાઓને એક કરીને નેશન બિલ્ડ કર્યું હતું. જો સરદાર હજુ 10 વર્ષ જીવતા હોત તો દેશ આજે કંઇક અલગ જ હોત તેવી પણ આશા ગોગોઇએ વ્યક્ત કરી હતી.

જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ ચીફ જસ્ટિસ
જ્યારે સમગ્ર દેશમાં કોઈપણ જજ દ્વારા મીડિયાને સ્ટેટમેન્ટ આપવામાં આવતું નથી અને આવતી શાંત જાહેરમાં કોઇ કાર્યક્રમમાં પણ નિવેદન આપવાની પરવાનગી નથી. રંજન ગોગોઇએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે, હવે હું દેશની સર્વોચ્ચ અદાલતના જજ નથી અને હવે હું ભૂતપૂર્વ જજ થઈ ચૂક્યો છું, એટલે હવે મને જાહેર મંચ પરથી બોલવાની ફ્રીડમ છે. જ્યારે દેશના આંકડાઓ જાહેર કરતા ગોગોઈ જણાવ્યું હતું કે, હેપીનેશ ઇન્ડેક્ષમાં ભારતનો ક્રમ 140 છે. જે સંતોષકારક નથી. જ્યારે જાહેર જીવનમાં કરપ્સન છે. જેમાં દેશનો ક્રમ 78 છે. ઉપરાંત ફ્રીડમ ઓફ પ્રેસ કેટેગરીમાં વિશ્વના 188 દેશમાં ભારતનો ક્રમ 140 છે.
જો સરદાર હોત તો અત્યારે દેશ કંઈક અલગ જ હોત: પૂર્વ ચીફ જસ્ટિસ
રંજન ગોગોઈએ પોતાની કારકિર્દી વિશે જણાવ્યું હતું કે, હું જજ થયા બાદ પણ રાજ્યના સર્કિટ હાઉસમાં જ રહેતો હતો. અત્યાર સુધી કોઈ જ ફાઈવ સ્ટાર હોટલમાં નથી રોકાયો. ઉપરાંત કાયદાના વિધાર્થીઓને પ્રેક્ટિકલ જીવનમાં શુ થાય છે તે વિશે પણ જ્ઞાન આપ્યું હતું.

સીએમ વિજય રૂપાણીએ સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં રામ જન્મભૂમિ સંબંધમાં અપાયેલા નિર્ણયને ન્યાયિક વ્યવસ્થાની પરિપકવતા, સંવેદનશીલતા અને સ્વતંત્રતાને ઊજાગર કરનારો ગણાવ્યો હતો. નિર્ણય આવવામાં સમય લાગે છતાં પણ ન્યાયપાલિકાનો નિર્ણય સત્ય-અસત્ય, સાચુ-ખોટું અને કાયદા પરીપ્રેક્ષ્યમાં પ્રત્યેક પહેલુઓના બારીકાઇથી નિરિક્ષણના આધારિત હોય છે.

આ પ્રસંગે ગુજરાત સરકારના બાયોટેકનોલોજી મિશન અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી વચ્ચે MOU એકસચેન્જ કરવામાં આવ્યું હતું. આ MOU અંતર્ગત લૉ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઓન બાયોટેકનોલોજી લૉ એન્ડ પબ્લીક પોલીસી રાઇટ અપનો અભ્યાસક્રમ શરૂ થવાનો છે.

ABOUT THE AUTHOR

...view details