ગુજરાત

gujarat

By

Published : Oct 7, 2019, 9:46 PM IST

ETV Bharat / state

ગાંધીનગરનું રામનગર સ્વખર્ચે વૃક્ષો વાવનારૂ પ્રથમ ગામ બન્યુ, સ્વચ્છ પર્યાવરણ માટે અનોખી મિશાલ

ગાંધીનગરઃ કલોલ તાલુકાનાં રામનગરમા ‘’મિશન ગ્રીન રામનગર પ્રોજેકટ’’નો નાયબ મુખ્યપ્રધાનના હસ્તે શુભારંભ કરાયો હતો. નિતીન પટેલે મિશન ગ્રીન રામનગર પોજેકટનો શુભારંભ કરતા જણાવ્યું કે સરકારની મદદથી તો વિકાસના કાર્યો સૌ કોઇ કરે પણ પોતાના પૈસા, પોતાની જમીન અને પોતાના માટે વૃક્ષારોપણ કરી પર્યાવરણ ઉભુ કરનાર રામનગર પ્રથમ ગામ બન્યુ છે. જે અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડશે.

Plantation

નિતીનભાઇ પટેલે જમીનનું દાન કરનાર દાતાઓનું સન્માન કરતાં જણાવ્યું કે સ્વની વિચારધારાને ત્યાગી સમાજનો વિચાર કરવાવાળા રામનગરનાં ખેડૂતોમાંથી શીખ લેવા જેવી છે. રામનગર જેવા નાના ગામે ગ્રીન રામનગર બનાવવાની શરૂઆત કરી છે. જે સમગ્ર સમાજ માટે દિશા સૂચક છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી વણાયેલ વૃક્ષવંદના ભૂલાઇ જવાથી પર્યાવરણના આવરણને આપણે જાતે જ દુષિત કર્યુ છે.

નાયબ મુખ્યપ્રધાન સહિત દિગ્ગજો હાજર રહ્યા
મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
નાયબ મુખ્યપ્રધાન હાજર રહ્યા
નાયબ મુખ્યપ્રધાન હાજર રહ્યા

ઉદ્યોગો, વાહનો, કોલ્ડ સ્ટોરેજ, એર કંડીશન જેવા વિકાસથી હવા પ્રદુષિત થઇ છે. રોડ રસ્તા અને ભવનો જેવા માળખાકીય વિકાસ માટે વૃક્ષો કાપવા પડયા છે, પણ તેની સામે બમણા વૃક્ષો વાવવાની પણ જોગવાઇ છે. જે આપણે જવાબદારી પૂર્વક નિભાવી શકયા નથી અને આજે કુદરતની વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહયા છીએ. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા થઇ રહી છે અને પર્યાવરણને પ્રદુષિત કરી માનવ જીવનને ખતરામાં મુકનાર વિકાસ વિનાશ તરફ લઇ જાય છે.

સ્વખર્ચે વૃક્ષારોપણ કરનારુ પ્રથમ ગામ
ના. મુખ્યપ્રધાને કરી વૃક્ષારોપણની શરૂઆત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્લાસ્ટિક મુકત ભારતનો સંકલ્પ લેવડાવીને પર્યાવરણ બચાવવા હાકલ કરી છે, ત્યારે ગુજરાત સરકારે અલાયદો કલાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરીને ગ્રીન આવરણ બનાવવા કમર કસી છે. અમદાવાદ ખાતેના સરપંચ સંમેલનમાં વડાપ્રધાને ખુલ્લામાં શૌચ મુકત ગામનો શપથ લેવડાવી સ્વચ્છ ગ્રામીણ ભારત અંતર્ગત સ્વચ્છતાની સાથેસાથે સ્વચ્છ નદીઓ, સ્વચ્છ તળાવો, સ્વચ્છ સરોવરો સ્વચ્છતા હી સેવા શ્રમદાન દ્વારા જનભાગીદારીથી તમામ શહેરો, ગામો, તાલુકા, જિલ્લા, રાજયો અને સમગ્ર ભારતને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુકત બનાવાશે. આ મિશનમાં ઉપયોગમાં લેવાતા જરૂરી સાધનો, ટ્રેકટર અને ટ્રોલી મેળવવા ટીડીઓએ દરખાસ્ત કરવા સરપંચને જણાવ્યું હતું.
ના. મુખ્યપ્રધાને કરી વૃક્ષારોપણની શરૂઆત
ગ્રીન મિશન રામનગરના પ્રણેતા અને કાર્યકર્તા લાલભાઇ અને ગામનાં યુવાનોના શ્રમદાન કાર્યની સફળતાને બિરદાવતા જણાવ્યું કે યુવાનોની ઉર્જા કોઇ પણ કાર્ય કરવા સક્ષમ છે. તેમણે પ્રગતિશીલ રામનગરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ ગામનાં કર્મઠ ઉપસરપંચ ગાંડાભાઇ અને મહિલા સરપંચ કોકિલાબેનને અભિનંદન પઠવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details