21 ઓક્ટોબરે આ બંને બેઠકો પર મતદાન યોજાશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાયા હતાં. જેથી આ બંને બેઠકો ખાલી પડી હતી.
રાધનપુર-બાયડ પેટાચૂંટણી, 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, 24 ઓક્ટોબરે પરિણામ - 21 ઓક્ટોબરે મતદાન યોજાશે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકમાંથી શનિવારે ચૂંટણી પંચે 4 બેઠકોના મતદાન અને મતગણતરીની તારીખની જાહેરાત કરી હતી. જ્યારે રવિવારે એટલે કે આજે રાધનપુર અને બાયડની તારીખ જાહેર કરવામાં આવી છે.
![રાધનપુર-બાયડ પેટાચૂંટણી, 21 ઓક્ટોબરે મતદાન યોજાશે, 24 ઓક્ટોબરે પરિણામ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4519276-thumbnail-3x2-assembly.jpg)
vidhansbha
નોંધનીય છે કે, ચૂંટણી પંચ અગાઉ અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, ખેરાલુની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આ બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને પરિણામ 24 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.