ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, 17મીએ નર્મદા નીરના કરશે વધામણા

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરના રોજ 69માં વર્ષમાં પ્રવેશ કરશે, ત્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાનના જન્મદિવસને લઇને રંગા રંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

By

Published : Sep 15, 2019, 1:50 PM IST

Updated : Sep 15, 2019, 7:23 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, 17મીએ નર્મદા નીરના કરશે વધામણા

નર્મદા ડેમે ઐતિહાસિક સપાટી વટાવી છે. જેને લઇને તે નીરના વધામણા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

તેને લઇને અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 કલાકે આગમન થશે. જેમાં સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે, ત્યાર બાદ રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. જ્યારે 17 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે માતા હીરાબાના આશીર્વાદ લઇ અને ત્યાર બાદ સવારે 8 કલાકે કેવડિયા ખાતે પહોંચશે. જ્યાં વડાપ્રધાન નરેંન્દ્ર મોદી સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કરશે.

Last Updated : Sep 15, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details