ગાંધીનગર વિજાપુર હાઇવે પર ગ્રામભારતીમાં આવેલી સંસ્થા ખાતે ડો. એ.પી.જે.અબ્દુલ કલામ ઇગનાઇટ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે દેશના તમામ રાજ્યોમાંથી ધોરણ 12 સુધીના બાળકોને પોતાની સર્જનાત્મકતા અને મૌલિકતા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રે રોજિંદા જીવનની સમસ્યાઓને હલ કરી તેને કેવી રીતે સરળ બનાવી શકાય તેવા એવોર્ડ વિજેતા 21 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું પ્રદર્શન માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નિહાળ્યું હતું. જેમા ગાંધીનગર જિલ્લાની બે શાળાના વિદ્યાર્થીઓને પણ એવોર્ડ મળ્યો હતો.
ઇનોવેશન અને આઈડિયા દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે છે : ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી - ડોક્ટર અબ્દુલ કલામ સ્મૃતિ
ગાંધીનગર : નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દર વર્ષે ડોક્ટર અબ્દુલ કલામ સ્મૃતિમાં બાળકોને તેમના ઇનોવેશન માટે એવોર્ડ આપે છે. ગાંધીનગરના અમરાપુરમાં આવેલા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતીમાં એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં દેશના જુદા જુદા રાજ્યોના 544 જિલ્લામાંથી 60 હજાર નામાંકનમાંથી 21 એવોર્ડ પસંદ કરીને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે બાળકોને આપવામાં આવ્યા હતા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
આ પ્રસંગે એવોર્ડ વિજેતા બાળકોને અભિનંદન આપતા તેમને જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં અને ઇકોનોમીમાં નવા ઇનોવેશન અને આઈડિયા મહત્વનો ભાગ ભજવી શકે છે. વિદ્યાર્થી જીવનએ સાહસથી ભરપૂર છે. ત્યારે આવા નવા સંશોધન અને નવા વિચારોને અમલમાં લાવીને દેશની સાથે સાથે લોકોને પણ મદદમાં આવી શકે અને લોકો તેનો લાભ મળી શકે છે. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.