ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને ખેડૂતોને યૂરિયા ખાતર તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં આવે તેવી માગ સાથે એક પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થયો છે ત્યારે ખેડૂત ચાલુ વર્ષે પોતાના ખેતરમાં સારૂં અને વધુ ઉત્પાદન મેળવે તે માટે અત્યંત જરૂરી એવા યૂરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.