ગુજરાત

gujarat

ETV Bharat / state

વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહર પર નીતિન પટેલે કહ્યું- હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે - National news

ગાંધીનગરઃ આતંકી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી દીધો છે.જૈશ-એ-મોહમ્મદના માસ્ટર માઇન્ડ વિરુદ્ધ UNSC દ્વારા કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. UNSC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર નાયાબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પ્રતિક્રીયા આપી છે.

વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહર પર નીતિન પટેલે કહ્યું- હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે

By

Published : May 1, 2019, 10:35 PM IST

મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા પર નીતિન પટેલે કહ્યું હતું કે, હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે. શાંતિ માટે જાણીતા દેશ માટે સારા સમાચાર છે. શાંતિપ્રિય દેશ માટે આજનો દિવસ ખુશીનો દિવસ છે. આતંકવાદી પ્રવૃત્તિઓ કરનાર અને પોતાની મદરેસાઓમાં આતંકવાદ પ્રવૃત્તિ ચલાવતો મસૂદ અઝહરને UN દ્વારા આજે આતંકવાદી જાહેર કર્યો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, 'ભારત દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે વૈશ્વિક સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. જેને પગલે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ચીન દ્વારા મસૂદને સમર્થન આપવામાં આવ્યુ હતુ. ત્યારે હવે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને સખત કાર્યવાહી કરવી પડશે.'

વૈશ્વિક આતંકવાદી મસૂદ અઝહર પર નીતિન પટેલે કહ્યું- હવે પાકિસ્તાને પણ કાર્યવાહી કરવી પડશે
વધુમાં તેમણે જણાવ્યું હતુંકે, પાકિસ્તાનની મદરેસાઓમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિ જગજાહેર થઈ ગઈ છે. ત્યારે પાકિસ્તાન જો તેની સામે કાર્યવાહી નહીં કરે તો તેની સામે પણ દબાણ ઊભું થશે.

ABOUT THE AUTHOR

...view details