ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યભરમાં દસ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે 235 કરોડની જોગવાઈ - પશુપાલકો બજેટ

નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યુ છે. જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.

news
news

By

Published : Feb 26, 2020, 3:59 PM IST

બજેટમાં પશુપાલકો માટે નીચેની જોગવાઈ કરવામાં આવી છે

  • એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે
  • રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન , સ્ત્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. જેના માટે કુલ ૨૧૦૦ કરોડની જોગવાઇ
  • પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા ૨૮૧ કરોડની જોગવાઇ
  • રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે ૨૩૫ કરોડની જોગવાઈ

  • હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ, મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર, પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જોગવાઇ
  • ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે ૨૩૨ કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે ૨૭ કરોડની જોગવાઈ
  • પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવાઈ

ABOUT THE AUTHOR

...view details