ગુજરાત

gujarat

ETV Bharat / state

દહેગામમાં કલેકટર કુલદીપ આર્યની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ - શિક્ષણ દ્વારા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ

ગાંધીનગર : દહેગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારના મોટી પાવઠી ગામમાં સભા યોજાઈ હતી.જેમા કલેકટર કુલદીપ આર્યએ ગ્રામજનોને દીકરા અને દીકરીને એક સરખું શિક્ષણ આપવાનો ગ્રામજનોને અનુરોઘ કરી જણાવ્યું હતું કે, ગામમાં શિક્ષણની માત્રા વધશે તો કુરિવાજો દૂર થશે. સરકારની દરેક યોજનાથી માહિતગાર થવા માટે શિક્ષણ મહત્વનું છે. આપ મીડિયા કે અન્ય માઘ્યમ થકી જાહેરાત વાંચીને પણ આપને સંલગ્ન યોજનાનો લાભ સરળતાથી લઇ શકશો.

દહેગામમાં કલેકટર કુલદીપ આર્યની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ
દહેગામમાં કલેકટર કુલદીપ આર્યની ઉપસ્થિતિમાં રાત્રિ સભા યોજાઇ

By

Published : Dec 1, 2019, 2:57 AM IST


કલેકટરે કહ્યું કે, ગ્રામજનો દ્વારા શિક્ષણ, પાણી, રસ્તા, વીજળી, બસ અને અન્ય સુવિઘા અંગેના જે પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. તે શિક્ષણ દ્વારા મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.બાળકોના અભ્યાસ માટે બસના રૂટની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે પણ સંબંઘિત અઘિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ કોઝ-વે બાંઘવા માટે પણ સંબંઘિત અઘિકારીને આગળની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું.

કલેકટરે શાળામાં શિક્ષકની ઘટ અંગેના પ્રશ્નમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં નવી ભરતી થતા ઘટ ભરાઇ જશે. તેમજ આઘારકાર્ડ માટેના પ્રશ્નનોને હલ કરવા માટે દહેગામ મામલતદારને જણાવ્યું હતું કે, મામલતદાર કચેરીમાં એક આઘારકાર્ડ કઢાવવા માટે એક બુકીંગ સરળતાથી મળી રહે તે માટે એક સંપર્ક નંબર ચાલું કરવો. જેથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો એક ફોન કરે ત્યારે તમને કંઇ તારીખે કયા સ્થળે આઘારકાર્ડ કાઢી આપવામાં આવશે, તેની પણ જાણ કરી શકાય તે પ્રકારની સુચારું વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી. તેમણે ઇ-ગ્રામ સેવા માટે તાત્કાલીક નેટ કનેકશન સરળતાથી મળી રહે તે માટે મોર્ડન બદલી નાખવા પણ જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે સાચા અર્થમાં ગ્રામસભા સાર્થક થયાનો સંતોષ વ્યકત કર્યો હતો.

ગાંધીનગર જિલ્લા વિકાસ અઘિકારી આર.આર.રાવલે જણાવ્યું હતું કે, રાત્રિસભાઓ કોઇ પણ જ્ઞાતિ-જાતિ અને ઘર્મના ભેદભાવ વિના જિલ્લાના તમામ ગામોમાં યોજાઇ રહી છે. રાત્રિ સભા થકી આજે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર આપના દ્વારે આવ્યું છે. ગામના તમામ લોકોનો સર્વાંગી વિકાસ થવો ખૂબ જરૂરી છે. તેમણે ઉપસ્થિત સર્વે ગ્રામજનોને પોતાના નાના બાળકોને આંગણવાડી, પ્રાથમિક શાળા અને આગળનું શિક્ષણ આપવા માટે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું.

તાલુકામાં સેક્સ રેશિયો અંગેની ચિત્તા વ્યક્ત કરીને દીકરા-દીકરીને એક સમાન ગણવા માટેની વાત કરી હતી. તેમજ માતા મૃત્યૃદર ઘટાડવા માટે સગર્ભા માતાઓને ભૂવા કે અન્ય ધાર્મિક અંઘશ્રઘ્ઘાના સ્થળે ન લઇ જતા તેમને નજીકના પી.એચ.સી. અને સી.એચ.સી. સેન્ટરના ડોકટર પાસે લઇ જવા જોઈએ તેવી વાત કરી હતી.ગ્રામજનોની જાગૃતિની પ્રશંસા કરી તેમણે રજૂ કરેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની દિશામાં અવશ્ય કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details