ગુજરાત

gujarat

રાજ્યમાં કોરોનાના વધુ 347 કેસ નોધાયા, કુલ આંક 8542 પર પહોંચ્યો

By

Published : May 11, 2020, 11:46 PM IST

રાજ્યમાં આજે કોરોના વાઈરસના 347 કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 8542 પર પહોંચી છે.

Etv Bharat
coronavirus

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસ બેકાબૂ બન્યો છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે. ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ સંક્રમિત કેસોની સંખ્યા વધીને 8542 પર પહોંચી છે. જેમાંથી છેલ્લા 24 કલાકમાંં અમદાવાદમાં જ 268 કેસ નોધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 347 પોઝિટિવ કેસ નોંધાયા છે,

રાજ્યમાં કોરોનાના વધુ 347 કેસ નોધાયા

રાજ્યમાં કોરોના વાઈરસનુ સંક્રમણ અટકવાનું નામ લેતુ જ નથી. દરરોજ એવરેજ 300 કેસ સામે આવી રહ્યા છે. જેમાં રોજ અમદાવાદ મોખરે રહે છે. મોતના આંકડામાં પણ અમદાવાદ સૌથી આગળ હોય છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે, આજે રાજ્યમાં વધુ 347 કેસ સામે આવ્યા છે. આજેે અમદાવાદ સિવાય મહેસાણામાં પણ એકનું મોત થયું છે.

રાજ્યમાં કોરોનાના વધુ 347 કેસ નોધાયા

આ કેસોમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં અમદાવાદને બાદ કરતા એક મોત મહેસાણામાં સામે આવ્યુ છે. દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે હોમિયોપેથી અને ઉકાળાનું સેવન કરવાથી ફાયદો થાય છે.

ABOUT THE AUTHOR

...view details