ગુજરાત

gujarat

ETV Bharat / state

શોષિતોનું ભલુ કરવા આવેલા મધ્યાહન ભોજન એકતા મંચના આગેવાનોએ જાહેરમાં કર્યા ઉઘરાણા - Gandhinagar Snehmilan held

ગાંધીનગરઃ રાજ્યમાં આંદોલન કરીને નેતાઓ બનવાની મોસમ ખીલી ઉઠી છે. સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓને હથેળીમાં ચાંદ બતાવી આગેવાનો ઉજળા થતાં હોય છે, ત્યારે ગાંધીનગરના સેક્ટર 20 રંગમંચ ખાતે મધ્યાહન ભોજન યોજના કર્મચારી એકતા મંચ દ્વારા સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ સમારોહમાં જે લોકોને મધ્યાહન ભોજન સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી. તેવા લોકો દ્વારા આગેવાની કરવામાં આવી હતી અને મંચના નામે ભલુ કરવા નીકળેલા આગેવાનોએ જાહેરમાં ઉઘરાણા કર્યા હતાં.

gandhinagar
શોષિતોનું ભલું કરવા આવેલા મધ્યાહન ભોજન એકતા મંચના આગેવાનોએ જાહેરમાં ઉઘરાણા કર્યા

By

Published : Dec 29, 2019, 8:39 PM IST

રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓનું પહેલેથી જ મહામંડળ ચાલી રહ્યું છે. સરકારને પણ તે મહામંડળની ગતિવિધિઓ અને તેની કામગીરીને લઇને તમામ પ્રકારની જાણકારી છે. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સામાન્ય પગારમાં નોકરી કરતા કર્મચારીઓ હાજર રહ્યા હતા. પરંતુ, આ કર્મચારીઓને ક્યાં ખબર છે કે, ભીડનો કહેવાતા આગેવાનો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મધ્યાન ભોજન કર્મચારીઓનું ભલુ કરવા આવેલા આગેવાનો દ્વારા સેક્ટર 20 રંગમંચ ખાતે જાહેરમાં જ એકતામાં ચલાવવાના નામે ઉઘરાણા કરવામાં આવ્યા હતાં.

મધ્યાહન ભોજન એકતા મંચના આગેવાનોએ જાહેરમાં કર્યા ઉઘરાણા

મધ્યાન ભોજન યોજના કર્મચારી મહાસંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, જે લોકો મધ્યાન ભોજન યોજનાના કર્મચારીઓને પગાર વધારો કરવાની વાત લઈને સંમેલનો કરી રહ્યા છે. તે પોતાની દુકાન ચલાવવા માટે આવ્યા છે. થોડા સમય પહેલાં જ મહેસાણા કોર્ટ દ્વારા પિયુષ વ્યાસને 3.50 લાખના ચેક રિટર્નમાં સજા કરવામાં આવી છે, ત્યારે આ લોકો કેવી રીતે ભલુ કરશે તે જ સમજાતું નથી.

ABOUT THE AUTHOR

...view details