ગુજરાત

gujarat

ETV Bharat / state

રઘુવીર માર્કેટમાં લાગેલી આગ પર સુરતના મેયરની પ્રતિક્રિયા

ગાંધીનગરઃ મંગળવારના રોજ વહેલી સવારે સુરતના રઘુવીર માર્કેટમાં ભીષણ લાગી હતી. જેને ઓલવવાની પ્રક્રિયા હાલ પણ ચાલુ છે. ત્યારે સુરતના મેયર જગદીશ પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનાની પૂરતી તપાસ કરવામાં આવશે.

By

Published : Jan 21, 2020, 1:38 PM IST

Updated : Jan 21, 2020, 2:16 PM IST

fire in Surat
ગાંધીનગર

સુરતના સરવે વિસ્તારમાં આવેલા ટેક્સટાઈલ માર્કેટમાં મંગળવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગી હતી.જેમાં આખી માર્કેટ બળીને ખાખ થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારે સુરત ફાયર બ્રિગેડ દ્વારા આગની ઘટનાને ઓલવાવ માટે બ્રિગેડ કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે સુરતના તમામ ફાયર સ્ટેશનોના કર્મચારીઓ અને ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે આવીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલ, પણ આગ ઓલવવાની પ્રક્રિયા ચાલું છે. ત્યારે સુરતના મેયર જગદીશ પટેલે આ ઘટના વિશે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

રઘુવીર માર્કેટમાં લાગેલી આગ સુરતના મેયરે આપી પ્રતિક્રિયા
Last Updated : Jan 21, 2020, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details