ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં ઉદ્યોગો અને વેપાર બાબતે આર્થિક પુનઃનિર્માણ પગલાં લેવા બાબતે બેઠક યોજાઈ

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-2019ની સ્થિતિ બાદ રાજ્યમાં આર્થિક પુન:નિર્માણ પગલાં અને રાજકોષીય-ફિઝકલ પુનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીની બેઠક સીએમ નિવાસસ્થાને યોજવામાં આવી હતી. જેમાં કમિટીના અધ્યક્ષ ડૉ.હસમુખ અઢિયાએ પોતાનો વચગાળાનો અહેવાલ રજૂ કર્યો હતો.

By

Published : May 28, 2020, 3:28 PM IST

meeting on economic
આર્થિક પુનઃનિર્માણ પગલાં બાબતે બેઠક યોજાઇ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલ 66 સભ્યોની આ સમિતિમાં વિવિધ આર્થિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત જે તજ્જ્ઞોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં IIM અમદાવાદના પૂર્વ પ્રાધ્યાપક પ્રો. રવિન્દ્ર ધોળકીયા, જાણીતા ટેક્ષ કન્સલટન્ટ મૂકેશ પટેલ, ફાયનાન્સિયલ એકસપર્ટ પ્રદિપ શાહ, પૂર્વ આઇ.એ.એસ. અધિકારી કિરીટ શેલત અને સભ્ય સચિવ તરીકે GIDCના એમ.ડી. એમ. થેન્નારસનની નિયુકતિ કરી છે. આજે યોજાયેલી આ કમિટીની પ્રથમ બેઠકમાં આ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

લોકડાઉનમાં ઉદ્યોગો અને વેપાર બાબતે આર્થિક પુનઃનિર્માણ પગલાં બાબતે બેઠક યોજાઇ
ગુજરાત દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક ગતિવિધિનું એક મહત્વપૂર્ણ રાજ્ય તથા મેન્યૂફેકચરીંગ હબ છે. ત્યારે કોવિડ-19ની આ મહામારીને પરિણામે રાજ્યની એ ગતિવિધિઓને વ્યાપક અસર પહોંચી છે. આ મહામારીના સંકટથી રાજ્યના અર્થતંત્રની ડિમાન્ડ અને સપ્લાય ચેઇનને પણ વિપરીત અસર પડી છે. એટલું જ નહિ, MSME સેકટર સહિતના અન્ય ક્ષેત્રો પણ આ અસરનો ભોગ બનેલા છે. આ બધી જ બાબતોનો સર્વગ્રાહી અભ્યાસ કરીને તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજી-રોટી માટે વસેલા શ્રમિકો પણ તેમના વતનમાં પરત ગયા છે. તે સ્થિતિને ધ્યાને લઇને અર્થતંત્રની આર્થિક ગતિવિધિઓની સુધારણા માટેની ભલામણો સુચવવા આ ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરેલી છે. આ ઉચ્ચસ્તરીય સમિતિ રાજ્યમાં સેકટરલ-સબ સેકટરલ આર્થિક નુકશાનનો અભ્યાસ કરીને સેકટર સ્પેસીફિક પૂર્નગઠન માટેના ઉપાયો-સૂઝાવો આપવાની છે.
લોકડાઉનમાં ઉદ્યોગો અને વેપાર બાબતે આર્થિક પુનઃનિર્માણ પગલાં બાબતે બેઠક યોજાઇ
સીએમ વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગ, વેપાર, ધંધા-રોજગારના ક્ષેત્રોને પૂન: ધબકતા કરવા તથા કોવિડ-19ના સંકટમાંથી બહાર આવી ઝડપભેર જનજીવન પૂર્વવત કરવાની દિશામાં સર્વગ્રાહી ચર્ચા-વિચારણા અને કાર્યયોજના માટે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પરામર્શ કર્યો હતો. સમિતિના અન્ય કાર્યક્ષેત્રોમાં જે બાબતોને આવરી લેવામાં આવી છે. તેમાં રાજ્યની રાજકોષીય-ફિઝકલ અને અંદાજપત્રીય બજેટ સ્થિતિની સમીક્ષા અને તેના સુધારાત્મક પગલાંઓ સૂચવવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે. એટલું જ નહિ, કોવિડ-19 મહામારી પછીની ઉદભવનારી સ્થિતિમાં રાજકોષીય ખાધ-ફિઝકલ ડેફિસીટ અંદાજો અને વર્તમાન કર માળખાની પણ પુર્નવિચારણા તેમજ પુર્નગઠનની બાબતે પણ આ સમિતિ ભલામણો કરશે. આ સાથે રાજ્યના અર્થતંત્રમાં આર્થિક અને રાજકોષીય સુધારણા રિવાઇવલ માટે ઇમીજીયેટ - ત્વરિત, મીડીયમ ટર્મ – ટૂંકાગાળાનો અને લોંગ ટર્મ – લાંબાગાળાનો સર્વગ્રાહી એકશન પ્લાન આ સમિતિ તૈયાર કરી રહી છે.

આજની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિપ્રધાન આર. સી. ફળદુ, મહેસૂલપ્રધાન કૌશિક પટેલ તેમજ ઊર્જાપ્રધાન સૌરભ પટેલ પણ આ બેઠકમાં જોડાયા હતા. આ ઉચ્ચસ્તરીય સમિતિની બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

ABOUT THE AUTHOR

...view details