ગુજરાત

gujarat

શું જૂનાગઢ પરીક્રમા પણ થશે રદ...? સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

કોરોના વાઇરસની દહેશતને કારણે રાજ્ય સરકારે અંબાજી ભાદરવી પૂનમના મેળો રદ કર્યો. તેમજ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન યોજાતા લોક મેળાઓ રદ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે દિવાળી પછી અગિયારસના દિવસે જૂનાગઢ ગિરનારની ફરતે પરિક્રમા શરૂ થતી હોય છે. ત્યારે કોરોનાના કારણે ગિરનાર પરિક્રમા અને જૂનાગઢ તળેટી મેળો પણ રાજ્ય સરકાર રદ કરશે તેવી સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

By

Published : Oct 17, 2020, 12:50 PM IST

Published : Oct 17, 2020, 12:50 PM IST

Updated : Oct 17, 2020, 2:22 PM IST

junagadh
ગાંધીનગર

  • કોરોનાને લઇને જૂનાગઢ પરીક્રમા અને તળેટી મેળોરદ થાય તેવી સંભાવના
  • રાજ્ય સરકાર ટુંક સમયમાં કરી શકે છે જાહેરાત
  • પરિક્રમમાં હજારો સંખ્યામાં લોકો આવતાં હોવાથી કોરોના સંક્રમણનું જોખમ વધુ

ગાંધીનગર: દિવાળી બાદ જૂનાગઢમાં ગિરનારની ફરતે અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસ પરિક્રમાનો મેળો યોજવામાં આવે છે. જેમાં 5 થી 7 લાખ લોકો પરિક્રમામાં ભાગ લેતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાના ગ્રહણને કારણે રાજ્યમાં તમામ ધાર્મિક મેળાઓ અને લોકમેળાઓ રદ થયા છે. ત્યારે હવે જૂનાગઢના પરિક્રમા અને જૂનાગઢ તળેટીનો મેળો પણ રદ થશે તેવી સંભાવનાઓ જૂનાગઢના ઉચ્ચ અધિકારી દ્વારા દર્શાવવામાં આવી છે.

જૂનાગઢ પરીક્રમા રદ થશે, સરકાર ટુંક સમયમાં કરશે જાહેરાત

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર હજુ જૂનાગઢ તંત્ર પાસેથી લેખિત અહેવાલ મંગાવશે, જે અહેવાલ પ્રમાણે રાજ્ય સરકાર પરિક્રમા રદ કરવી કે નહીં તે અંગે વિચારણા કરશે. પરંતુ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ પરિક્રમાના મેળામાં પાંચથી સાત લાખ લોકો દર વર્ષે આવતા હોય છે. જેથી સામાજિક અંતર જાળવી રાખવું ખૂબ જ મુશ્કેલ બનશે અને જો સામાજિક અંતર નહીં જળવાય તો સંક્રમણ વધશે તેવી સંભાવનાઓ ને ધ્યાનમાં લઈને જૂનાગઢના પરિક્રમનો મેળો રદ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

આમ, હવે જન્માષ્ટમીના લોકમેળાઓ, અંબાજી ભાદરવી પૂનમનો મેળો, અને ગરબા રદ કરાવ્યા બાદ હવે જૂનાગઢ લીલી પારિક્રમાનો મેળો પણ રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે.

- ગાંધીનગરથી પાર્થ જાનીનો અહેવાલ

Last Updated : Oct 17, 2020, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details