ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે, વેપારીઓનું રજીસ્ટ્રેશન, બેક ડિપોઝીટ અને MSP મુદ્દે થઈ ચર્ચા

કેન્દ્ર સરકારના કૃષિ બિલ બાબતે દિલ્હી ખાતે છેલ્લાં ઘણાં દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હવે ભારતીય કિસાન સંઘ દ્વારા પણ આંદોલનની ચીમકી આપવામાં આવી રહી છે. એકથી ત્રણ જાન્યુઆરીદરમિયાન ભારતીય કિસાન સંઘની રાષ્ટ્રીય બેઠક મળી હતી. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલમાં સુધારાની માગ કરવામાં આવી છે. જો કેન્દ્ર સરકાર સુધારો નહીં કરે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ ભારતીય કિસાન સંઘે ચીમકી આપી છે.

By

Published : Jan 8, 2021, 5:50 PM IST

ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે, વેપારીઓનું રજીસ્ટ્રેશન, બેક ડિપોઝીટ અને MSP મુદ્દે થઈ ચર્ચા
ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે, વેપારીઓનું રજીસ્ટ્રેશન, બેક ડિપોઝીટ અને MSP મુદ્દે થઈ ચર્ચા

  • ભારતીય કિસાન સંઘ કરશે આંદોલન
  • નવા કાયદાઓને લઈને કરશે આંદોલન
  • નવા કાયદાઓમાં સુધારો કરવા સરકાર સાથે કરશે મંથન
  • સરકાર કાયદામાં સુધારો કરે તેવી માગ
  • વેપારીઓનું સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત

ગાંધીનગરઃ કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકારને કાયદો સુધારવા બાબતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જે વેપારીઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરે, પાકની ખરીદી કરે તે વેપારીઓએે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકારે ઉભી કરવી પડશે. પહેલા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ વેચી શકાતો ન હતો. પરંતુ હવે નવા કાયદા પ્રમાણે સમગ્ર દેશમાં પાકનું વેચાણ થઈ શકે ત્યારે ખેડૂતોની રક્ષા માટે વેપારીઓનું સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે. આમ આવા જ રજિસ્ટર થયેલા વેપારીઓને ખેડૂત માલનું વેચાણ કરી શકે.

ભારતીય કિસાન સંઘ આંદોલન કરશે, વેપારીઓનું રજીસ્ટ્રેશન, બેક ડિપોઝીટ અને MSP મુદ્દે થઈ ચર્ચા

એમએસપી હેઠળ ખરીદી

કેન્દ્ર સરકારે રજૂ કરેલા બિલ અંગે ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે એમએસપી હેઠળ જ ખરીદી છે તેમ જ પીલરની ખરીદી ચાલુ રહેવી જોઈએ. એપીએમસી માર્કેટ અને માર્કેટની બહાર પણ એમએસપી હેઠળની ખરીદી યથાવત રાખવી જોઈએ.

વેપારીઓ પાસેથી બેંકમાં ડિપોઝીટ ફરજિયાત કરવી

હવે સમગ્ર રાજ્યમાં નવા કાયદા પ્રમાણે પાકનું વેચાણ કરવું શક્ય બન્યું છે. ત્યારે ખેડૂતોના રક્ષણ માટે જે વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેઓ સમય સંજોગો અનુસાર જો વેપારી સમયસર ખરીદીનું ચૂકવણું ન કરે તો તેની જગ્યાએ બેન્કમાંથી ખેડૂતોને ચૂકવવાનું થાય તેવી વ્યવસ્થાઓ માટેની રજૂઆત પણ સંઘ કેન્દ્ર સરકાર પાસે કરશે.

ભારતીય કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકારને નવા સંશોધન અને સુધારા કરવાની ચર્ચા કરવામાં આવશે અને જો કેન્દ્ર સરકાર આ સુધારણા નહીં કરે તો આગામી દિવસોમાં સમગ્ર દેશમાં ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details