- રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
- છેલ્લા 24 કલાકમાં 490 પોઝિટિવ કેસ નોંધાયા
- રાજ્યમાં કુલ 2 લોકોને કોરોનાથી મોત
- છેલ્લા 24 કલાકમાં 707 દર્દીઓને આપવામાં આવી રજા
ગાંધીનગર : રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો. દિવાળી બાદ સતત 1500થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે રાજ્ય સરકારે રાત્રી કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 490 કેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના મોત નિપજ્યા છે.
રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો
રાજયમાં કોરોનાથી સાજા થવાના રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 96.07 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી. રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 2,47,223 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.