સુરત અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચઅધિકારીઓની બેઠક - Gujarati nwes
ગાંધીનગરઃ સુરતમાં થયેલી દુર્ઘટનામાં 22 જેટલાં બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે લોકો તંત્રની બેદરકારી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. માટે ઉચ્ચઅધિકારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા ગાંધીનગરની કલેક્ટર ઓફિસમાં બેઠક બોલાવી હતી. જેમાં તેમણે ફાયર સેફ્ટી સહિતની વાતો પર ચર્ચા કરી હતી.

સુરતની દૂર્ઘટના બાદ ગાંધીનગરમાં ઉચ્ચઅધિકારીઓ દ્વારા બેઠક યોજાઇ
સુરતમાં થયેલા અકસ્માતથી વહીવટીતંત્ર દોડતું થયું છે. કારણ કે, આ અકસ્માતમાં તંત્ર બેદરકારી સીધી આંખે ઉડીને વળગે છે. જેથી સ્થાનિકો આ દૂર્ઘટના માટે તંત્રને જબાવદાર ગણાવી રહ્યાં છે. માટે અધિકારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા બેઠક બોલાવી હતી. જેમાં જિલ્લા પંચાયત, મેયર, મ્યુનિસિપલ કમિશ્નર,ફાયર વિભાગના અધિકારી સહિત કોર્પોરેશન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુરત અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં યોજાઈઉચ્ચઅધિકારીઓની બેઠક