ગુજરાત

gujarat

14 કન્ટેનમેન્ટ ઝોનમાં ધનવંંતરી મેડિકલ વાનથી 23 હજાર લોકોનું પરીક્ષણ કરાયું: અશ્વિનીકુમાર

By

Published : May 21, 2020, 5:51 PM IST

રાજ્યમાં અમદાવાદ શહેર કોરોના વાઇરસનું હોટસ્પોટ બન્યું છે ત્યારે શહેરના 14 જેટલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે રાજ્ય સરકારે જાહેર કર્યુ છે. આ વિસ્તારમાં ઝડપથી મેડિકલ સર્વે થાય તે માટે 51 જેટલી ધન્વંતરી મેડિકલ વનમાં 200 જગ્યાએ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પાંચ દિવસની અંદર 23 હજાર લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

etv bharat
અમદાવાદ: 14 કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધનવંંતરી મેડિકલ વાનથી 23,000 લોકોનું પરીક્ષણ કરાયું : અશ્વિનીકુમાર

ગાંધીનગર: આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કુલ 14 વોર્ડ અને એન્ટરટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.જેમાં ધન્વંતરી મેડીકલવા દ્રારા 200 જેટલી જગ્યાએ સ્વાસ્થ્યના પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કામગીરી 15મેના રોજ શરૂ કરવામાં આવી હતી જેમાં આજદિન સુધીમાં કુલ 23 હજાર જેટલા નાગરિકોનો પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી 488 જેટલા લોકોને તાવ, 1600 લોકોને કફ અને બાકી અન્ય 4400 દર્દીઓને અન્ય બીમારી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: 14 કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધનવંંતરી મેડિકલ વાનથી 23,000 લોકોનું પરીક્ષણ કરાયું : અશ્વિનીકુમાર

આમ અમદાવાદના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ઝડપથી લોકોનો સ્વાસ્થ્ય પરીક્ષણ કરીને આ અંગે ની સ્થિતિ બચવા અને કોરોના હોય તેવા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details