અમદાવાદ: હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અરજદારના વકીલે દલીલ કરી હતી કે, તમામ અસરગ્રસ્ત લોકો અનુસુચિત જનજાતિ સાથે સંકાળાયેલા છે. ગરીબી અનને આર્થિક રીતે નબળા છે. તેમની જાહેરહિતની અરજીને માન્ય રાખવામાં આવે. હાઈકોર્ટે અરજદારના વકીલને અસરગ્રસ્ત ખેડૂતોના રેકોર્ડ અને વારસાની વિગતો સાથે અલગ અલગ રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મુદ્દે સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને બધી સુવિધા મળી રહે તેવા 6 થી 8 જેટલા આર્દશ ગામ બનાવવા અમે તૈયાર છીએ. અગાઉ રાજ્ય સરકાર તરફે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે, જેમ સરદાર સરોવર યોજના માટે જમીન આપનાર લોકોને સરકાર દ્વારા અન્ય જગ્યાએ જમીન આપવામાં આવી છે. એટલું જ નહીં પરિવારના સભ્યને નોકરી આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે અસરગ્રસ્ત ખેડૂતોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી - સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન
ગુજરાતની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પ્રવાસન સ્થળ વિકસાવવાના રાજ્ય સરકારના નિર્ણયને અનુલક્ષીને કરવામાં આવેલા જમીન સંપાદનથી નાખુશ ખેડૂતોએ હાઈકોર્ટમાં કરેલી જાહેરહિતની અરજી ટકવાપાત્ર નથી, તેવી રાજ્ય સરકારની દલીલ સામે મંગળવારે ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને એ.જે શાસ્ત્રીની ખંડપીઠે અરજદારના વકીલને જાહેરહિતની નહીં પરતું, અસરગ્રસ્ત જમીન-માલિકોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી હતી. આ મામલે બુધવારે વધુ સુનાવણી હાથ ધરાવવાની શક્યતા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મુદે હાઈકોર્ટે અસરગ્રસ્ત ખેડૂતોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી
સ્ટેચ્યુ ઓફ યુનિટી જમીન સંપાદન મુદે હાઈકોર્ટે અસરગ્રસ્ત ખેડૂતોને વ્યકિતગત રિટ દાખલ કરવા ટકોર કરી
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, સરદાર સરોવર ડેમ માટે વર્ષ 1960માં સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી જોકે અરજદારનું કહેવું છે કે, સરકારે જમીનનો ઉપયોગ ન કરતા આદિવાસીઓ પાસે તેનો કબ્જો છે. સંપાદનને 58 વર્ષ થઈ ગયો હોવાથી સરકારનો કોઈ અધિકાર રહેતો નથી.