ગુજરાત

gujarat

ETV Bharat / state

'બાપુને શ્રદ્ધાંજલિ': ETV ભારતની વિશેષ પ્રસ્તુતિને ગુજરાતના પ્રધાનોએ બિરદાવી - Gujarati news

ગાંધીનગરઃ દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે, ઇટીવી ભારત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે” દ્વારા દેશને જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ પ્રસંગે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે આ ભજનની વિશેષ પ્રસ્તુતિ રીલિઝ કરી હતી. જે બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ અને અનેક મહાનુભવોએ રિ-ટ્વીટ કરીને ઈ ટીવી ભારતની આ અનોખી શ્રદ્ધાંજલીને આવકારી છે. તો બીજી તરફ રાજ્યના સરકારના ગણપત વસાવા, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ, ઈશ્વર પરમાર, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, સૌરભ પટેલે ટ્વીટ કરીને ઇટીવી ગૃપના ચેરમેન રામોજી રાવને શુભેચ્છાઓ આપી હતી.

Etv Bharat

By

Published : Oct 4, 2019, 11:12 AM IST

મહત્વનું છે કે, સમગ્ર દેશ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ઇટીવી ભારત દ્વારા "વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે" ભજનને અલગ અલગ ગાયક કલાકારો પાસે ગવડાવી દેશમાં શાંતિ અને એક્તાનો સંદેશો આપી બાપુને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઈટીવી ભારતની આ પ્રસ્તુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે પણ આવકારી હતી અને રિ-ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને ઇટીવી ભારતને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ ટ્વીટ ઈટીવી ભારતની પહેલને આવકારી

કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનું ટ્વિટ

ગુજરાતના રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ કર્યુ ટ્વિટ

પ્રદિપસિંહ જાડેજાનું ટ્વિટ

કુંવરજી બાવળિયાએ ટ્વીટ કરીને ઈટીવી ભારતની પહેલને બિરદાવી

કુંવરજી બાવળિયાનું ટ્વિટ

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ પણ ટ્વિટ કર્યુ

મહેસૂલ પ્રધાન કૌશિક પટેલનું ટ્વીટ

પ્રધાન ઈશ્વર પરમારે ટ્વીટ કરીને ઈટીવી ભારતની કરી પ્રશંસા

ઈશ્વર પરમારનું ટ્વિટ

ઉર્જા પ્રધાન સૌરભ પટેલનું ટ્વિટ

ઉર્જા પ્રધાન સૌરભ પટેલનું ટ્વિટ

ભાજપ મીડિયા કન્વિનર પ્રશાંત વાળાનું ટ્વિટ

ગુજરાત ભાજપ મીડિયા કન્વિનર પ્રશાંત વાળાનું ટ્વિટ

ABOUT THE AUTHOR

...view details