ગુજરાત

gujarat

By

Published : Jan 4, 2023, 3:31 PM IST

ETV Bharat / state

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા

ગુજરાત સરકારના પ્રધાનમંડળની કેબિનેટ બેઠક (Gujarat Government Cabinet Meeting )આજે ગાંધીનગરમાં મળી હતી. જેમાં પાલીતાણાને લઇને ચાલતા વિવાદ વિશે કેબિનેટમાં ગહન ચર્ચા (Jain Community Issue discussed )કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે સરકારે ગઇકાલે જ પાલીતાણામાં અસામાજિક તત્વોની રંજાડ (Jain Community Protest for palitana issue )સહિતના મુદ્દાઓની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના (Task Force for palitana issue )કરી દીધી છે.

ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા
ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં જૈન સમાજના મુદ્દાઓ પર ચર્ચા

ગાંધીનગરગાંધીનગરમાં પ્રધાનમંડળની કેબિનેટ બેઠક (Gujarat Government Cabinet Meeting )યોજાઇ છે. જેમાં જૈનસમાજના શ્રદ્ધાના કેન્દ્ર એવા પાલીતાણા તીર્થમાં અસામાજિક તત્વોની રંજાડ મામલે ચર્ચા (Jain Community Issue discussed )કરવામાં આવી છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ મામલે જૈનોને ન્યાય આપવાની ખાતરી સાથે ટાસ્ક ફોર્સની રચના (Task Force for palitana issue )કરી છે. જેમાં પાલીતાણામાં દાદાસાહેબના પગલાંની તોડફોડની ઘટનાને લઇને તપાસ કરાશે તેમ જ જવાબદારો સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપવામાં આવેલું છે.

આ પણ વાંચો પાલીતાણા મુદ્દે સરકારે બનાવી ટાસ્ક ફોર્સ, સરકારની જાહેરાત પહેલા ETV Bharatએ રજૂ કર્યો'તો અહેવાલ

જૈનસમાજનો રાજ્યવ્યાપી વિરોધપાલીતાણા માત્ર ગુજરાત કે ભારતના જૈન સમાજના આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. જૈનોના ગિરિરાજ પાલીતાણાના અનેક પ્રશ્નો (Jain Community Protest for palitana issue )સામે આવ્યાં છે જેમાં જૈન મહારાજ સાહેબ સાથે થયેલું અભદ્ર વર્તન, દાદા સાહેબના પગલાંની તોડફોડ તેમ જ જૈન તપસ્વીઓને પરેશાન કરવા જેવા મામલાઓને લઇને સુરક્ષાના પ્રશ્નોને લઇને જૈનસમાજનો બારે આક્રોશ સામે આવ્યો છે.

આ પણ વાંચો જૈન સમાજના વિરોધ અંગે જૈનાચાર્ય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજ સાથે ખાસ વાતચીત

કેબિનેટમાં ચર્ચા પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કરતાં જૈન સમાજ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના શહેરોમાં રેલીઓ યોજી સરકારનું ધ્યાન દોર્યું હતું અને સમસ્યાઓના નિવારણ માટે વિનંતી કરવામાં આવી હતી. ત્યારે આજે મળેલી ગુજરાત કેબિનેટ બેઠકમાં (Gujarat Government Cabinet Meeting ) આ મુદ્દે ચર્ચા (Jain Community Issue discussed )હાથ ધરાઇ છે.

મુદ્દો ઉકેલવા ટાસ્ક ફોર્સની રચનાગૃહ રાજ્યપ્રધાને હર્ષ સંઘવીએ ટાસ્ક ફોર્સની રચનાને લઇને જણાવ્યું હતું કે (Harsh Sanghavi ) જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા ખાસ બેઠક અને મેરેથોન બેઠકોના અંતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) એ નિર્ણય લીધો છે કે જૈનસમાજના મુદ્દાઓને લઇને ટાસ્ક ફોર્સ કમિટી (Task Force for palitana issue) બનાવવામાં આવશે. જેમાં તમામ વિષયો ઉપર અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ પગલાં ભરશે. સરકાર તમામ ધાર્મિક સ્થાનોને લઇ ગંભીરતાપૂર્વક પગલાં લઈ રહી છે. ગુજરાતમાં કોઈ પણ ધર્મસ્થાન હોય એ ધર્મસ્થાન પર કાયદાના અમલના વિષય પર રાજ્ય સરકાર હંમેશા ગંભીર હોય છે. આ ટાસ્ક ફોર્સ 24 કલાકમાં જાહેર કરવામાં આવશે અને તેમાં મહેસૂલ અને ગૃહ વિભાગના અધિકારીઓ હશે.

ABOUT THE AUTHOR

...view details