ગુજરાત

gujarat

ETV Bharat / state

'મહા' ચક્રવાત ગુજરાતથી 600 કિ.મી દૂર, અટવાયેલી 600 બોટ પરત ફરી

ગાંધીનગરઃ 'મહા'વાવાઝોડુ 6 નવેમ્બરે ગુજરાતને ઘમરોળે તેવી શક્યતા છે. આ માટે રાજ્ય સરકારે દરિયાકાંઠા સહિત ગુજરાતભરમાં સતર્કતા પગલા ઉઠાવ્યા છે. સોમવારે રાજ્યના મહેસુલ સચિવ અને હવામાન વિભાગના ડિરેક્ટરે રાજ્યસરકારની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત દરિયામાં અટવાયેલી 600 બોટ પરત ફર્યાના સમાચાર છે.

By

Published : Nov 4, 2019, 7:39 PM IST

Updated : Nov 4, 2019, 8:02 PM IST

'મહા' ચક્રવાત ગુજરાતથી 600 કિ.મી દૂર, 600 બોટ હજુ દરિયામાં અટવાઈ

મહા વાવાઝોડું રાજ્યના દરિયા કિનારે થી 600 કિલોમીટર દૂર છે, ત્યારે રાજ્ય સરકારે પણ તૈયારીઓ અને બચાવ કામગીરીની સમીક્ષા હાથ ધરી છે. રાજ્યના મહેસુલ સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, વાવાઝોડાને લગતી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં NDRF અને SDRFની ટીમને સ્ટેન્ડ બાઈ કરી દેવામાં આવી છે. જ્યારે વધુ 15 NDRF ટીમને અન્ય રાજયમાંથી એરલીફ્ટ કરવામાં આવશે.

પંકજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, મહા વાવાઝોડા અંગે સરકારે તૈયારી પુરી કરી છે. વાવાઝોડા અંગેની પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ પણ સાંજ સુધીમાં જિલ્લા કલેકટર પોલીસ અધિક્ષક સાથે વિડિઓ કોન્ફરન્સથી તૈયારીઓની સ્થાનિક કક્ષાની માહિતી મેળવશે. વાવાઝોડા પહેલા દરિયો ખેડવા 12 હજાર બોટ ગઈ હતી, જેમાં 600 બોટ અટવાઈ હતી, બાદમાં આ 600 બોટ દરિયામાંથી કિનારે પરત ફરી છે. જે સાંજ સુધીમાં પરત આવશે. તમામ માછીમારો સંપર્ક સાધવામાં આવ્યો છે. ઉપરાંત દરિયા કિનારાના નજીકના વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાનો નિર્ણય મંગળવાર સુધીમાં લેવામાં આવશે. જ્યારે વાવાઝોડાને અસરને કારણે સોમનાથ, દિવ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર જેવા દરિયા નજીકના જિલ્લામાં વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.

'મહા' ચક્રવાત ગુજરાતથી 600 કિ.મી દૂર, 600 બોટ હજુ દરિયામાં અટવાઈ

હવામાન વિભાગના ડિરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડુ ટકરાશે, ત્યારે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. જેના કારણે કાચા મકાનોને અસર પહોંચશે. દિવ અને પોરબંદરમાં લેન્ડ ફોલ થવાની શક્યતા છે. અત્યારે ચક્રવાત પોરબંદરથી 680 અને દિવથી 720 કિલોમીટર દૂર છે. વાવાઝોડું કાલે કઈ બાજુ ફંટાશે તેના પર આધાર છે. પણ ગુજરાતના દરિયા કિનારે આવતા વાવાઝોડાની ત્રિવતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવાઝોડુ નબળુ પડી રહ્યુ છે.

રાજ્યના કેબિનેટ અને રાજયકક્ષાના પ્રધાનોને પણ તમામ જિલ્લામાં મોકલવામાં આવશે.

Last Updated : Nov 4, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details