ગાંધીનગર: તલાટી પરીક્ષા મુદ્દે SC/ST અને OBC અને સર્વણ મહિલાઓ આમને સામને આવી છે. રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે. આ પરિપત્રના કારણે અનેક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મહત્વનું છે કે, ગત રોજ બિન અનામત વર્ગની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આજે ફરી વિરોધ પ્રદર્શન થવાના છે, ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા એટલે કે, સચિવાલયના ગેટ નંબર છ અને સાત નંબરન બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગતરોજ બિન અનામત મહિલાઓ દ્વારા પથિકાશ્રમથી કલેક્ટર ઓફિસ સુધી કૂચ કરવામાં આવી હતી, ત્યારબાદ સત્યાગ્રહ છાવણીથી રાજભવન સુધી કૂચ કરવાના હતા, પરંતુ કંઈ શરૂ થાય તે પહેલાં જ બિન અનામત વર્ગના લોકોની પોલીસે અટકાયત કરી હતી, ત્યારે આજે સવારથી જ ગાંધીનગર ખાતે આંદોલનનો વાતાવરણ સર્જાયું છે. જેને ધ્યાનમાં રાખીને સચિવાલયના ગેટ નંબર છ અને સાત પર સુરક્ષા વધારવામાં આવી છે.