ગાંધીનગર: કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બી.એસ.એફ.ના જવાનો શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહેએ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે. બીએસએફ કેમ્પમાં જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા આયુષ ડોકટરની સેવા આપવામાં આવી છે. સપ્તાહમાં એક દિવસ આયુર્વેદિક ડોક્ટર બીએસએફ કેમ્પસમાં જઈને ત્રણ કલાક જવાનોની સારવાર કરશે.
સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે - Gandhinagar News
કોરોનાના સંક્રમણની પરિસ્થિતિમાં બી.એસ.એફ.ના જવાનો શારીરીક અને માનસિક રીતે સ્વસ્થ રહે એ માટે ઓપીડી લેવલે આયુર્વેદ સેવા આપવા મેડિકલ ઓફિસરની સેવા શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર : સરહદ પર સુરક્ષા કરતા જવાનોને જિલ્લા આયુર્વેદ વિભાગ કોરોના સામે સુરક્ષા આપશે
બી.એસ.એફ કેમ્પસ, ગાંધીનગર તથા રાજ્યભરની અન્ય સંસ્થાઓ જેવી કે CRAS (અમદાવાદ), IIM, IT તથા સંરક્ષણની અને હોસ્પિટલોમાં જે સંસ્થા ઇચ્છુક હોય ત્યાં આયુર્વેદ સેવા શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. બી.એસ.એફ. દ્વારા દેશની સુરક્ષા પુરી પાડવી તથા દેશભરમાં જ્યાં જરૂર પડે ત્યાં સુરક્ષા, કુદરતી આફત તેમજ સમાજ સેવાના કાર્યોમાં શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે.