ગુજરાત

gujarat

ETV Bharat / state

આ વર્ષ મંગલમય નીવડે તેવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

આજે હિન્દુ પંચાગ ગણના ( Hindu Panchang calculation ) મુજબ કારતક સુદ એકમથી વિક્રમ સંવત 2079ની શરુઆત થઇ છે. ત્યારે રાજ્યના નાગરિકોને માટે આ વર્ષ મંગલમય નીવડે તેવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા ( CM Bhupendra Patel Wished People of Gujarat ) પાઠવી હતી. તેઓએ ગાંધીનગરના પંચદેવ મંદિરે ( Panchdev temple in Gandhinagar ) દર્શન કરીને નવા વર્ષની ( Vikram Samvant 2079 New Year ) શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

By

Published : Oct 26, 2022, 2:56 PM IST

આ વર્ષ મંગલમય નીવડે તેવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી
આ વર્ષ મંગલમય નીવડે તેવી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા પાઠવી

ગાંધીનગર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન ( The then CM Narendra Modi ) તરીકે તેઓ સત્તા ઉપર હતા ત્યારથી જ નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના( Hindu Panchang calculation ) દિવસે ગાંધીનગરના પંચદેવ મંદિરના દર્શને આવતા હોય છે. ત્યારબાદ મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો આનંદીબેન પટેલ, વિજય રૂપાણી પણ પંચદેવના મંદિરે દર્શન ( Panchdev temple in Gandhinagar ) કરવા આવ્યા હતાં. ત્યારે હવે છેલ્લા બે વર્ષથી દિવાળી અને બેસતા વર્ષમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ એ આ કાર્યક્રમ પ્રણાલી યથાવત રાખી છે. તેઓએે આજે બેસતા વર્ષનો ( Vikram Samvant 2079 New Year ) નવા વર્ષનો દિવસ પંચદેવ મંદિરના દર્શન ( Panchdev temple in Gandhinagar ) કરીને પ્રારંભ કર્યો હતો.

ગાંધીનગરના પંચદેવ મંદિરના દર્શનની પરંપરા નીભાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

તમામ નાગરિકોને શુભેચ્છાઓરાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પંચદેવના દર્શન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના તમામ નાગરિકોને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ ( CM Bhupendra Patel Wished People of Gujarat ) છે. આવનારું વર્ષ આનંદદાયી મંગલમય તમામ લોકો માટે નીવડે તેવી શુભેચ્છાઓ પણ મીડિયા થકી ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને શુભેચ્છા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાઠવી હતી.

ગત વર્ષે આત્મનિર્ભર ગુજરાતનું સૂત્ર આપ્યું હતું ગત વર્ષે નવા વર્ષના ( Vikram Samvant 2078 ) દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પંચદેવના દર્શન કર્યા બાદ આત્મનિર્ભર ગુજરાતનું સૂત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાકાળથી આત્મનિર્ભર રહેવાની શીખ છે ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના બે માસ પૂર્ણ કર્યા બાદ નવા વર્ષના દિવસે જ ભૂપેન્દ્ર પટેલે પંચદેવના દર્શન કરીને ગુજરાતને આત્મનિર્ભર બનાવવાનું સૂત્ર આપ્યું હતું.

કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ( CM Bhupendra Patel Wished People of Gujarat ) પંચદેવ મંદિર મુલાકાત ( Panchdev temple in Gandhinagar ) દરમિયાન ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ સહિત કોર્પોરેટરો, ભાજપના જિલ્લા પ્રમુખ રુચિર ભટ્ટ અને પૂર્વ મેયર રીટા પટેલ હાજર રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details