ગુજરાત

gujarat

ETV Bharat / state

આશ્રમશાળાના ગૃહપતિને માસિક 30 રૂપિયા મહેનતાણું આપી સરકાર મજાક કરી રહી છે !! - GDR

ગાંધીનગરઃ રાજ્યમાં આવેલી આશ્રમ શાળાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. 24 કલાક ફરજ બજાવતા કર્મચારીઓને માસિક રૂપિયા 30 આપીને મજાક ઉડાવવામાં આવી રહી છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 4, 2019, 5:20 PM IST

આશ્રમ શાળામાં ફરજ બજાવતા રાકેશભાઈ સોલંકીએ કહ્યું કે, સરકાર આંદોલન કરવાવાળા કર્મચારીઓને તમામ સુવિધાઓ આપી દેવામાં આવે છે પરંતુ, અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પાછળ પોતાની જિંદગી ખર્ચી નાખતા ગૃહપતિ કમ શિક્ષકને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવતો નથી, સરકાર અમારી મજાક ઉડાવી રહી છે.

ગુજરાત રાજ્યના આશ્રમશાળા કર્મચારી મંડળ દ્વારા આજે સેકટર-12માં આવેલા વિશ્વકર્મા હોલમાં બેઠક બોલાવવામાં આવી હતી. આશ્રમશાળામાં ફરજ બજાવતા કર્મચારીઓએ સરકાર સામે પોતાની માગણીઓ મેળવવા માટે રણનીતિના ભાગરૂપે બેઠક કરી હતી. અત્યારે જામનગર જિલ્લામાં આવેલી આશ્રમ શાળામાં ફરજ બજાવતા રાકેશભાઈ સોલંકીએ કહ્યું કે, આશ્રમશાળામાં શિક્ષકોને બેવડી જવાબદારીઓ નિભાવવાની સાથે 24 કલાકમાં બાપ તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ગૃહપતિ તરીકે જવાબદારી હોવાથી શૈક્ષણિક કાર્યની તૈયારીઓ કે ઘર-પરિવાર માટે પણ સમય ફાળવી શકાતો નથી. પરિણામે કર્મચારી સતત મનોવૈજ્ઞાનિક દબાણ હેઠળ રહેતો હોવાથી પોતાના કામને ન્યાય આપી શકતો નથી.

આશ્રમશાળાના ગૃહપતિને મહિને 30 રૂપિયા મહેનતાણું
વધુમાં તેમણે કહ્યું કે, આશ્રમ શાળાના કર્મચારીઓને સરકાર દ્વારા ખાનગી અનુદાનિત પ્રાથમિક શાળામાં લાભ આપેલ છે, જે અન્યાયકારી છે. આશ્રમ શાળાના કર્મચારીઓને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના નિયમ તેમજ પગારધોરણ લાગુ કરવાની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં અમારી માગણીનો સ્વીકાર કરવામાં આવતો નથી. આશ્રમ શાળાના કર્મચારીઓએ નોકરી બાબતની રજૂઆત કરી છે, તેમ છતાં તેમની રજૂઆતોને સામાન્ય ગણિતને કાઢી નાખવામાં આવે છે ત્યારે, આગામી સમયમાં આશ્રમ શાળાના કર્મચારીઓની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો વિધાનસભાના સત્ર દરમિયાન ચડાઈ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details