ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે - Gandhinagar
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 અને 4 જુલાઈ ગુજરાતના પ્રવાસે આવશે. 3 જુલાઈએ બપોરે 2 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે.
![ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3715435-thumbnail-3x2-sss.jpg)
ફાઇલ ફોટો
ગૃહપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં 3 જુલાઈએ ઈન્કમટેક્સ ફલાયઓવર બ્રિજ, ડી કે પટેલ હોલ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરશે. તેઓ 4.30 કલાકે દિનેશ હોલમાં સંબોધન કરશે અને સાંજે 6 કલાકે લોકસભાના કાર્યકરોને મળશે. આ સાથએ જ 4 જુલાઈના રોજ વહેલી સવારે 4 કલાકે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી પણ કરશે.