ગુજરાત

gujarat

By

Published : Oct 25, 2019, 3:20 PM IST

ETV Bharat / state

ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બંધ બારણે બેઠક યોજી

ગાંધીનગર: ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે મુલાકાતના શરૂઆતના તબક્કામાં જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે શાહે બેઠક યોજી હતી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા હોવાની માહિતી મળી છે.

ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બંધ બારણે બેઠક યોજી

ભાજપ જ્યારે પણ કોઈ દાવો કરે ત્યારે તેમાં દમ હોય છે. પરંતુ ગુજરાતમાં યોજાયેલી 6 વિધાનસભાની પેટા ચુંટણીના પરિણામોએ ગુજરાત ભાજપના સંગઠન તથા તેના નેતૃત્વ સામે સવાલો ઊભા કરી દીધા છે. 3 બેઠકો અને તેમાં પણ ભાજપનો દબદબો હોય તેવી થરાદ બેઠક ભાજપે ગુમાવવાને કારણે ભાજપ સંગઠને કરેલા દાવા પર લોકો હાંસી ઊડાવી રહ્યાં છે. જો કે સંગઠનના માહેર અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ પરિણામથી ખાસ્સા એવા નારાજ થયા હોવાની માહિતી મળી છે.

ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બંધ બારણે બેઠક યોજી

પેટા ચુંટણીના પરિણામો અંગે ચર્ચા કરવા માટે શાહે દિલ્હીથી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. મુખ્યપ્રધાન રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં પેટા ચુંટણીના પરિણામો અંગે શાહે નારાજગી વ્યક્ત કરી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખખડાવ્યા હોવાની જાણકારી મળી રહી છે.

એવું નથી કે જીતુ વાઘાણીને પ્રથમ વખત ગૃહપ્રધાન અમિત શાહે ખખડાવ્યાં હોય. આ અગાઉ પણ અમિત શાહ ગાંધીનગર સ્થિત પીડીપીયુ ખાતે કોન્વોકેશનમાં આવ્યા હતા. ત્યારે પણ જીતુ વાઘાણીનો ક્લાસ લીધો હતો.

જે-તે સમયે પણ સંગઠનને લગતી બાબતે જ શાહે નારાજગી વ્યક્ત કરી હતી. તેમ છતાં પણ જીતુ વાઘાણી પોતાના સત્તાના નશામાંથી બહાર ના આવ્યા.આખરે રાજ્ય ભાજપ સંગઠને પેટા ચુંટણી દરમિયાન 3 બેઠકો પર સંગઠનના આંતરિક ડખ્ખાંને કારણે જ બેઠક ગુમાવવાની પડી છે,તેમ રાજકીય પંડિતોનું માનવું છે. જો જીતુ વાઘાણી સમયસૂચકતા નહી દાખવે તો આગામી સમયમાં તેમનું વધુ અપમાન થાય તો નવાઈ રહેશે નહિ.

ABOUT THE AUTHOR

...view details