ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે વર્ષ 1931થી અત્યાર સુધીના તમામ 7/12ના ઉતારા ઓનલાઈન કર્યા - 7/12 excerpt online

ગાંધીનગર: રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે રાજ્ય સરકાર અનેક જનહિતકારી નિર્ણયો લઈ રહી છે. છેલ્લા 2 વર્ષ કરતા પણ ઓછા સમયમાં મહેસૂલ વિભાગ દ્વારા એક પછી એક સુધારાઓ સાથે વિવિધ મહેસૂલી સેવાઓને ઈ-ગર્વનન્સના માધ્યમ દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે. જેમાં હવે ખાતેદાર`Z ની માહિતી અને વર્ષ 1931થી અત્યાર સુધીના તમામ 7/12 ના ઉતારાને ઓનલાઈન કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે વર્ષ 1931થી અત્યાર સુધીના તમામ 7/12ના ઉતારા ઓનલાઈન કાર્યા

By

Published : Nov 7, 2019, 6:47 PM IST

ઓનલાઈનના નિર્ણય બાબતે મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઓનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સિદ્ધાંત સ્વીકાર અને નાણાં ભરવા અંગેની જાણ અરજદારને ઇ-મેઇલથી કરવામાં આવશે. આ નાણાંનું ઓનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી દ્વારા ખરાઇનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવશે. આ કાર્યપદ્ધતીમાં સુધારો કરાતા, અરજદારને ઇન્ટીમેશન લેટરની સાથે એન.એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.

રાજ્ય સરકારે વર્ષ 1931થી અત્યાર સુધીના તમામ 7/12ના ઉતારા ઓનલાઈન કર્યા

ખેડુત ખાતેદાર ખરાઇ અંગેની કાર્યપદ્ધતીમાં કરવામાં આવેલ સુધારા વિષે માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજુર કરવાની કાર્યવાહી દરમિયાન જરૂરીયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ? તે અંગેની ખરાઇ કરવાની રહે છે. આ ખરાઇ ઓફલાઇન થવાને કારણે તથા કોઇ કિસ્સામાં એક જીલ્લાનો અરજદાર બીજા જીલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે, ત્યારે બીજા જીલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે.

આ કાર્યપદ્ધતીમાં સુધારો કરાતાં હવેથી, ઓનલાઇન અરજી કરતી વખતે અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હક્કપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસુલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઓનલાઇન ચકાસણી કરાશે. જેથી, ખેડૂત ખાતેદાર ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિન જરૂરી વિલંબ ટાળી શકાશે.

જ્યારે મહેસુલ અગ્રસચિવ પંકજ કુમારે જણાવ્યું હતું, કે ખેડૂત ખાતેદારની ખરાઈ કામગીરીમાં જે સમય પસાર થાય છે, જેમાં અરજદારે એફિડેવિટમાં ઓનલાઈન અરજી કરવામાં આવશે, જ્યારે વર્ષ 1931થી અત્યાર સુધીના તમામ 7/12ના ઉતારા ઓનલાઈન કરવામાં આવ્યા છે. તમામ ડેટાનું કામ કાજ પૂર્ણ થયું છે. ઓનલાઈન સીસ્ટમથી જ ખાતેદારની ખરાઈ ઓનલાઈન થઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details