ગુજરાત

gujarat

By

Published : May 23, 2019, 10:19 AM IST

ETV Bharat / state

લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાવ્યા

દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકાના ભદ્રકાલી મંદિર પરિસરમાં બિરાજમાન આશાપુરા માતાજીના મદિરમાં મોદી સરકારના જીતવા માટે દ્વારકાના બ્રાહ્મણો દ્વારા વિધાન સભા અને લોકસભામાં જીત માટે વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરવામાં આવી રહ્યા છે.તેમ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત અને કેન્દ્રમાં મોદી સરકાર જંગી બહુમતીથી જીતે તેવું દ્વારકાની નરેન્દ્રમોદી વિચાર મંચ ઈચ્છી રહ્યું છે.

ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરાવ્યા

છેલ્લા બે દિવસથી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગુજરાત અને ભારત દેશમાં ભાજપનો સંમ્પૂર્ણ બહુમતીથી વિજય થાય તે માટે દ્વારકાના બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવી રહ્યા છે.

ભાજપની જીત માટે બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ સહસહસ્ત્ર પાઠ કરાવ્યા

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારકા તેમજ મિશન ન્યુ ઈન્ડાયા તરફથી દ્વારકા ભદ્રકાલી આશાપુરા મંદિરમાં નરેન્દ્ર મોદી ફરીથી 2019 ની લોકસભા ચૂંટણી બહુમતીથી જીતે તે આશાથી વિદ્વાન બ્રાહ્મણો વહલી સવારે અને સાંજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details