જાણીતા કથાકાર મોરારી બાપુ દ્વારકાની મુલાકાતે, મહિલાઓ પર થતા અત્યાચારને વખોડ્યા - Morari Bapu visits Dwarka
દ્વારકા: પ્રખ્યાત કથાવાચક શ્રી મોરારી બાપુ યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા પધાર્યા હતા. મહિલાઓ પર થતા અત્યાચારને મોરારી બાપુએ વખોડી કાઢ્યા હતા. ETV Bharat સાથેની ખાસ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, મહિલાઓ પર થતા અત્યાચાર ઘણી દુઃખની વાત છે.

પ્રખ્યાત કથાકાર શ્રી મોરારી બાપુ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા પધાર્યા હતા. અહીં તેમણે ETV Bharat સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું કે, મહિલાઓ પર થતા અત્યાચાર ઘણી દુઃખની વાત છે. વધુમાં તેમણે કહ્યું કે, આપણા દેશમાં મહિલાઓને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, મહિલાઓ પર થતા અત્યાચાર ઘણી દુઃખની વાત છે. વધુમાં મોરારી બાપુએ કહ્યું કે, મહિલાઓ સાથે અત્યાચાર એ આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોને અનુરુપ નથી. સરકાર દ્વારા આ માટે કડક કાયદાઓ બનાવવામાં આવવા જાઈએ. જેથી સમાજમાં મહિલાઓ સુરક્ષિત રહી શકે. તેવી મોરારી બાપુએ લાગણા વ્યક્ત કરી હતી.