ગુજરાત

gujarat

ETV Bharat / state

Pakistan Marines hijack 2 boats: આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી 2 બોટનું અપહરણ કરતું પાક મરીન

આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી 2 બોટનું અપહરણ (Pakistan Marines hijack 2 boats) કરવામાં આવ્યું તેની પુષ્ટિ પાક મરીન દ્વારા જ કરવામાં આવી છે. આ બન્ને બોટ ઓખાની હોવાની શક્યતા છે.

By

Published : Feb 6, 2022, 10:15 PM IST

Pakistan Marines hijack 2 boats: આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી 2 બોટનું અપહરણ કરતું પાક મરીન
Pakistan Marines hijack 2 boats: આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી 2 બોટનું અપહરણ કરતું પાક મરીન

દેવભૂમી દ્વારકા: પાકિસ્તાન મરીનની નાપાક હરકત ફરી સામે આવી છે. 2 બોટ માં 12 જેટલા માછીમારોનું અપહરણ (Pakistan Marines hijack 2 boats) કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન દ્વારા વારંવાર ભારતના માછીમારોને હેરાન કરવામાં આવે છે. આ બાબતે સરકારએ કઈક કરવું જોઈએ.

આ પણ વાંચો:લતા મંગેશકર પંચતત્વમાં વિલીન, ભાઈએ અગ્નિદાહ આપ્યો, અનુભવીઓએ આપી શ્રદ્ધાંજલિ

માછીમારોનું અપહરણ કરી કરાંચી લઈ ગયા

IMBL નજીક થી ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ (Indian fisherman kidnaped) કરી પાક મરીન કરાંચી લઈ ગયા હોવાના અહેવાલ મળ્યા છે. જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. 15 દિવસમાં આ રીતે ત્રીજી બોટનું પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી (Pakistan marine security agency) દ્વારા અપહરણ કરાતા માછીમારોમાં ખૌફ છવાયો છે. ગુજરાતમાં હજારો માછીમારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ હંમેશા ભારતીય જળ સીમામાં જ માછી મારી કરીને ગુજરાન ચલાવે છે, પરંતુ પાકિસ્તાન દ્વારા તેમનું આ રીતે ગેરકાયદેસર અપહરણ કરી લેવામાં આવે છે.

આ પણ વાંચો:Vadodara Lata Mangeshkar Visit: આજે પણ વડોદરામાં લતા મંગેશકરની મુલાકાતના સંસ્મરણો તાજા

ABOUT THE AUTHOR

...view details