કલમ 370ને દૂર કર્યાની ખુશીમાં દેવભુમી દ્વારકાના વયોવૃદ્ધ અંબાજી પગપાળા દર્શને નીકળ્યા - latest news of dwarka
દેવભુમી દ્વારકાઃ કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કશ્મીરમાથી કલમ 370 દૂર કરતા દેવભુમી દ્વારકાના મહાદેવયા ગામના નારણભાઇ ગોરીયા ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા શરુ કરી છે.
dev
દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાને મોદી સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાના નિર્ણયથી ખુશ થઇને પોતાના ગામથી અંબાજી માતાના દર્શન કરવા પગપાળા યાત્રા આરંભી છે. નારણભાઇ ગોરીયા અંબાજી જતા રસ્તા પરથી વડાપ્રધાન મોદીના માતા હિરાબાના પણ દર્શન કરવા જશે. તે પહેલા પણ દેવભુમી દ્વારકાના મહાદેવીયા ગામના યુવાન નારણભાઇ ગોરીયાએ 2010માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બને તેવી માનતા સાથે હરીદ્વાર પગપાળા ગયા હતાં.