ગુજરાત

gujarat

ETV Bharat / state

જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

જામ ખંભાળીયાના જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા 20 ડિસેમ્બર 2020ને રવિવારના રોજ જલારામ બાપાના મંદિર ખાતે વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહનું અધ્યક્ષ સ્થાન બાપજીના નામથી પ્રખ્યાત એવા ભાગવત કથાકાર મગન રાજ્યગુરૂએ સંભાળ્યું હતું.

By

Published : Dec 21, 2020, 4:32 PM IST

Updated : Dec 21, 2020, 4:42 PM IST

જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા ફરીથી એકવાર વરિષ્ઠ પત્રકારોનો યોજાયો સન્માન સમારોહ
જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા ફરીથી એકવાર વરિષ્ઠ પત્રકારોનો યોજાયો સન્માન સમારોહ

  • જામ ખંભાળિયામાં પત્રકારોનો સન્માન કાર્યક્રમ યોજાયો
  • કથાકાર મગન રાજ્યગુરૂ રહ્યા હાજર
  • હિતેન્દ્ર આચાર્ય બન્યા મુખ્ય મહેમાન
    વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ

જામ ખંભાળિયાના જય દ્વારકાધિશ પૂનમ ગ્રુપ દ્વારા 20 ડિસેમ્બર 2020ને રવિવારના રોજ જલારામ બાપાના મંદિર ખાતે વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહનું અધ્યક્ષ સ્થાન બાપજીના નામથી પ્રખ્યાત એવા ભાગવત કથાકાર મગન રાજ્યગુરૂએ સંભાળ્યું હતું. આ સન્માન સમારોહના મુખ્ય અતિથિ તરીકે અહીંના વરિષ્ઠ પત્રકાર હિતેન્દ્ર આચાર્ય અને શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકાના પ્રમુખ ઈશ્વર ઝાંખરીયા ઉપસ્થિત રહ્યા હતા.

વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ

જિજ્ઞા તન્નાએ 11,111 રૂપિયા દાન કર્યું

આ પ્રસંગે મહેન્દ્ર મશરૂની દિકરી જિજ્ઞા તન્નાએ રૂપિયા 11,111 દાનમાં આપ્યા હતા. ત્યારબાદ બધા જ વરિષ્ઠ પત્રકારોને પૂજ્ય બાપજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પત્રકારોનો સન્માન સમારોહ
Last Updated : Dec 21, 2020, 4:42 PM IST

ABOUT THE AUTHOR

...view details