ગુજરાત

gujarat

By

Published : Apr 7, 2020, 2:23 PM IST

ETV Bharat / state

દ્વારકામાં કોરોના વાઇરસના દર્દી માટે આહિર સમાજ દ્વારા 200 બેડની સમાજ વાડી આપવાની જાહેરાત

દેવભૂમિ દ્વારકા તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓ આવે તો તેમને એડમીટ કરવા માટે દ્વારકાની આહિર સમાજના ટ્રસ્ટીઓ દ્વારા 200 બેડની સમાજ વાડી આપવાની જાહેરાત કરી છે.

દેવભૂમિ દ્વારકામાં કોરોનાવાયરસના દર્દી માટે આહિર સમાજ દ્વારા 200 બેડની સમાજ વાડી આપવાની જાહેરાત
દેવભૂમિ દ્વારકામાં કોરોનાવાયરસના દર્દી માટે આહિર સમાજ દ્વારા 200 બેડની સમાજ વાડી આપવાની જાહેરાત

દેવભૂમિ દ્વારકાઃ વિશ્વ વ્યાપી કોરોનાવાઇરસને કારણે અનેક દેશોમાં હોસ્પિટલો ઉભરાયા છે. ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓની સ્થિતિ દિવસે-દિવસે વધતી જાય છે, ત્યારે ખાસ કરીને ગુજરાતમાં રોજ એકથી બે કેસ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા હોસ્પિટલોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની કેટલીક સમાજસેવી સંસ્થાઓ પણ ભવિષ્યમાં કોરોનાવાયરસના દર્દીઓ આવે તો મદદની તૈયારી દર્શાવી છે.

દેવભૂમિ દ્વારકામાં કોરોનાવાયરસના દર્દી માટે આહિર સમાજ દ્વારા 200 બેડની સમાજ વાડી આપવાની જાહેરાત
દેવભૂમિ દ્વારકામાં કોરોનાવાયરસના દર્દી માટે આહિર સમાજ દ્વારા 200 બેડની સમાજ વાડી આપવાની જાહેરાત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલી શ્રી અખિલ ભારતીય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કોરોના વાયરસના દર્દીઓ માટે તેમની સમાજની 200 બેડની વાડી આરોગ્ય ખાતાને આપવાની તૈયારી દર્શાવી છે.

ABOUT THE AUTHOR

...view details