ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં ફેરીબોટ સર્વિસના ટેક્સમાં થયો વધારો, ફેરીબોટ એસોસિએશને સેવા બંધ કરવાની ઉચ્ચારી ચિમકી

દ્વારકા: ઓખા અને બેટદ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના બર્થ ભાડામાં વધારો થયાનો નિર્ણય ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા લેવાયો છે. આ નિર્ણયના વિરોધમાં એક માસ બાદ ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય બોટ એસોસીએશનને કર્યો હતો જેને લઇને જીએમબી ઓખા ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.

By

Published : May 3, 2019, 8:30 AM IST

ફેરીબોટ સર્વિસના બર્થ ભાડામાં વધારાને લઇને આવેદનપત્ર પાઠવ્યું

યાત્રાધામ દ્વારકાના દર્શન કરવા હજારો શ્રધાળુઓ આવે છે. ઓખા બંદરની જેટી પરથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ઓખા સંચાલિત ફેરીબોટ સર્વિસ દ્વારા બેટ દ્વારકા જવું પડે છે. આ ફેરીબોટ સ્થાનિક લોકોની માલિકીની હોય છે. જે ગુજરાત મેરીટાઈમ બોર્ડને બર્થ ચાર્જીસ સાથે ૧૮ % જેટલો જી.એસ.ટી. ભરવો પડે છે. જે ફેરીબોટના કુલ વજન ઉપર ગણતરી કરી વસુલવામાં આવે છે. અત્યાર સુધીમાં બર્થ ચાર્જીસમાં બોટના વજન એટલે કે 1 ટન વજનના રૂપિયા 4 હતા જે વધારીને 1 ટન વજનના રૂપિયા 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકોમાં રોષ વ્યાપી ગયો છે. કારણકે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના રૂપિયા 8500 જેટલો બર્થ ચાર્જ આવતો હતો, તે હવે 12 ગણો વધીને રૂપિયા 95 હજાર થયો છે.

ફેરીબોટ સર્વિસના બર્થ ભાડામાં વધારાને લઇને આવેદનપત્ર પાઠવ્યું

બેટ દ્વારકા અને ઓખા વચ્ચે આવી અંદાજે 175 બોટો ચાલે છે. એક બોટમાં 4 થી 5 કર્મચારીના હિસાબે એક હાજર પરિવારની રોજી રોટી છીનવાઈ શકે તેમ છે. આ ભાવ વધારા સામે એસોસિએશન દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અહીંની તમામ બોટો આવતા 30 દિવસ બાદ એટલે કે 07/06/2019થી હડતાલ ઉપર ઉતરી જશે. જેથી ઓખા અને બેટ દ્વારકા વચ્ચેનો તમામ વહીવટ અને આવક જાવક બંધ થઇ જશે. ત્યારે ઓખા જીએમબીને ફેરીબોટ એસોસિએશન બેટ દ્વારકા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એક માસમાં તેનો યોગ્ય નિકાલ નહીં કરાય તો ફેરીબોટ સર્વિસ બંધ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details