ડાંગ જિલ્લાના લોકોને આરોગ્યની વધુ સારી સુવિધા મળી રહે તે માટે હંમેશા કટિબદ્ધતા દર્શાવતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં ‛ખિલખિલાટ’ વાનને કારણે સગર્ભા બહેનોને ઝડપથી સુવિધા મળી રહેશે. ગામડાઓમાં નાના રસ્તે પણ આ વાહન સમયસર પહોંચી જશે. સરકારની સેવાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોનું આરોગ્ય જળવાય એવો સરકારનો અભિગમ છે.
આહવા સિવીલ હોસ્પિટલ ખાતે ‛ખિલખિલાટ’ વાનનું લોકાર્પણ કરાયું - ઈમરન્સી મેનેજમેન્ટ એક્ઝેકયુટીવ મનોજકુમાર શ્રીવાસ્તવ
ડાંગ: જિલ્લાના મુખ્ય મથક આહવા (જનરલ સિવીલ હોસ્પિટલ) ખાતે મંગળવારના રોજ ‛ખિલખિલાટ’ વાનનું લોકાર્પણ કલેકટર એન.કે.ડામોરના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિવીલ હોસ્પિટલના R.M.O ર્ડા.શર્મા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ સહિત 108ના કર્મચારીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

etv bharat
ઈમરન્સી મેનેજમેન્ટ એક્ઝેકયુટીવ મનોજકુમાર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પહેલા આહવા અને સુબીર ખાતે તેમ 2 વાન હતી. જ્યારે હાલમાં વધઈ-સાપુતારા, શામગહાન વિસ્તારના ગામો કવર કરવામાં આવશે. સગર્ભા બહેનોને ધરેથી લેવા અને ત્યારબાદ બાળક સાથે પોતાના ધર સુધી ‛ખિલખિલાટ’ વાન પહોંચાડશે.
અત્યાર સુધી કુલ 7000 કેસોમાં ‛ખિલખિલાટ’ વાનની સેવા અપાઇ છે. આહવામાં મહિને સરેરાશ 350 કેસોના કોલ મળે છે. જ્યારે સુબીર ખાતે અત્યાર સુધીમાં 1300 કેસ એટેન્ડ કરાયા હતાં.