જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે," ડાંગ જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઘટાડવા લાંબાગાળાનું આયોજન કરવાથી આપણે માતાઓને બચાવી શકીશું. આરોગ્ય વિભાગના તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા બાદ ડાંગ જિલ્લામાં કિશોરીઓનો સર્વે કરવામાં આવ્યો હતો. કુલ 1904 બાળાઓમાં હિમોગ્લોબીન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 61 દિકરીઓ નોર્મલ જણાઈ અને 40 એનીમીયાના લક્ષણો ધરાવતી હતી. 467 અને માઈલ્ડ એનીમીયા ધરાવતી 1336 દિકરીઓ જણાઈ હતી.
આ સર્વે ઉપરથી જિલ્લાના આરોગ્ય વિભાગે કિશોરીઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે તેવા પ્રયાસોના ભાગરૂપે જિલ્લામાં આહવા, સાપુતારા, વધઈ અને સુબીર ખાતે મોટા કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં એકસાથે 18,654 દિકરીઓને આયર્નની ગોળી ગળાવીને ભારતભરમાં મોટી સંખ્યામાં આયર્ન ગોળી ગળાવવાના અભિયાનને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું."